SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-જીવનની રૂપરેખા ૩૧ તે સમયે શાંત વાતાવરણ હોવાથી શાશ્વત-જીવનને અનુભવવાનું સામર્થ્ય રહેલું હોય છે. ઉચ્ચ વિચારો તથા સંગોને પોતાના તરફ આકર્ષવાનું ખાસ રહસ્ય અને બળ પ્રભાતના સમયમાં રહેલું છે. ૩ કેટલો જાપ કર્યો? આ કલિયુગમાં જ૫ આત્મજ્ઞાન માટે સહેલામાં હેલો ઉપાય છે. જાપ સમાધિમાં પરિણમે છે.' વારંવાર નામ-સ્મરણ એ જા૫ છે. તેના ત્રણ પ્રકાર છે. વખરી (સ્પષ્ટ ઉરચારણરૂપ) ઉપાંશુ (અન્તર્જલ્પાકાર) રહસ્ય (માનસિક) જાપ માટે દરેકે ૧૦૮ પારાની માળા રાખવી જોઈએ. મનને ઈશ્વર તરફ વાળવા માળા એ ચાબુક છે. વૈખરી અને ઉપાંશુ-જાપ કરતાં માનસિક–જાપ દશ હજારગણું ફળ આપે છે. રોજ ૧૦૮ વાર શ્રી નમસ્કાર-મહામંત્ર જાપ કરવો જોઈએ. ભગવાનનું નામ લેવાથી વિકાસનો માર્ગ ખુલે છે. શરીર સાથેની એક્તાથી છૂટા થવાય છે. શુદ્ધભાવ અને પ્રેમભક્તિથી ભગવાનનું નામ લેનાર પ્રભુ સાથે એકત્તા અનુભવે છે. સૌથી શ્રેષ્ઠ માનસિક જાપ છે. જેમાં જીભ કે હોઠ હાલે નહિ. ૪ કેટલા લેકનું વાંચન કર્યું? શાસ્ત્રના વાંચનથી આત્મા તત્વને જ્ઞાતા બને છે. લાંબા વાંચનથી બહુશ્રુત થવાય છે,
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy