SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૩૦ યાદિક ધર્મક્રિયાઓ કરાવવામાં અને જનસમાજને ધર્મધ આપવામાં તેઓ સમર્થ હતા. અગીઆરે બ્રાહ્મણે વિદ્યા તથા શાશકિતમાં એક બીજાથી વધે તેવા હતા. સર્વેમાં ઈદ્રભૂતિ અગ્રેસર હતા. તેમજ દરેક પંડિત બસે પાંચસે શિષ્યોના પરિવારથી અલંકૃત હતા. અનેક શાસ્ત્રોનું અવલોકન કરી તેને જન સમાજને લાભ આપવા મેટા આશ્રમે વા ગુરૂકુળ જેવા સ્થાને રાખી દરેક વિદ્વાન પિતાના શિષ્યગણને શસ્ત્રાભ્યાસ કરાવતા હતા. દરેકમાં વિદ્યા તથા શાસ્ત્રીય જ્ઞાનની પૂર્ણ શક્તિ હોવાથી પિતાને એક બીજાથી અધિક માનતા, પિતાને ન્યૂને માનવામાં પિતાની હલકાઈ સમજતા હતા. તેથી દરેકમાં આત્મજીવન સંબંધી એક એક મહાન શંકા હતી, પણ બધા સર્વજ્ઞ થઈ બેઠા હતા, તેથી પિતતામાં એક બીજાને પૂછવાથી પિતાની ન્યુનતા જણાઈ આવે એમ જણું શંકાશીલપણે જ પિતાને સમય વ્યતીત કરતા હતા. એક સમયે પરમજ્ઞાની સર્વજ્ઞ ભગવાન મહાવીર દેવ એક સ્થળે બિરાજતા હતા, તે સમયે તેજ નગરમાં આ અગીયારે વિદ્વાને પિતા પોતાના શિષ્યપરિવાર સાથે એક મહાન યજ્ઞ પ્રસગે સેંકડે વિદ્વાનોની સાથે આવ્યા હતા. પરમ કૃપાળુ ભગવાન મહાવીરદેવને વંદન કરવા માટે આકાશગામી અનેક દેવવિમાનમાં બિરાજિત દેવોને આવતા જોઈ પોતાના યજ્ઞમંડપના પુનિત સ્થાને દે પણ આવે છે, એમ જાણ ઘડીભર રાજી થયા; પણ જ્યારે યજ્ઞમંડપને છોડીને દેને દૂર જતા જોયા, ત્યારે તે વિચારમુગ્ધ બની ગયા અને મનમાં તર્ક-વિતર્ક કરવા લાગ્યા કે-અમારા જેવા સર્વજ્ઞ પુરૂષોને છેડીને આ દે, અન્ય સ્થળે ક્યાં જાય છે? શું આ વિશ્વમાં અમારા કરતાં પણ અધિક કઈ જ્ઞાનીની હયાતી છે? ના, ના, અમારા કરતાં શ્રેષ્ઠ પુરૂષને પ્રસવ પણ હજી થયે હેય એમ અમને પ્રતીતિ થતી નથી અને કદાચ હેય તે અમારી જાણ બહાર તે નજ હેય, ત્યારે આ દેવે ક્યાં જાય છે? અમારી યજ્ઞઆહુતિથી આલ્હાદ પામી, પવિત્ર ધર્મક્રિયાથી પ્રસન્ન થઈ, અમારી તરફ તે આવતા હોય એમ જણાય છે; છતાં આ પુનિત ભૂમિ તથા અમારા જેવા મહાજ્ઞાનીઓને મૂકી દઈને દેવો દૂર જતા રહ્યા તેનું કારણ શું? શું દેવે ભૂલ્યા નહિ હોય? એમ અનેક પ્રકારે તર્ક-વિતર્કમાં તરલિત બનતા વિદ્વાનેને ક્ષણવારમાં ખબર પડીકે-“સર્વજ્ઞ પરમાત્મા ચરમ તીર્થંકર ભગવાન મહાવીર પ્રભુના દર્શનાર્થે આ દેવે જાય છે. આ પ્રમાણે સાંભળતાં ઘડીભર તે તે અગીયારે વિદ્વાને આશ્ચર્યમુગ્ધ બની ગયા. અરે ! અમારા શિવાય જગતમાં બીજે કઈ સર્વજ્ઞ છે ? વા કોઈ ભેળા જીવોને પ્રપંચના પાશમાં ફસાવનાર ઘર્ત તે નહિ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy