SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯ અનંત ભવ હું ભમે રે, ભમતાં સાહિબ મળિયે. તુમ વિણ કુણ દીએ રે, બેધિ રણુ મુજ બળિયે, સંભવ! આપજે રે, ચરણ કમળની સેવા. નય એમ વિનવે રે સુણિયે દેવાધિદેવા.” અર્થાત્ “હે વીતરાગ નાથ! આમ હવશ પડી પરસ્ત્રી અને બીજા પાપમાં મન લગાડવાથી હું અનંતા ભવ ભટક્યો. જે તારે વશ રહી તારામાં જ ચિત્ત લગાડયું હોત, તારામાં જ હું ઠર્યો હતો, તે આ હજી સુધી ભટકવાનું શાનું હોય ? ભવભ્રમણ બંધ જ થઈ ગયું હોત.” પૂછે – પ્રભુમાં ચિત્ત લગાડવાથી ભવનો અંત કેમ ? કારણ સ્પષ્ટ છે કે માનવ-અવતારે મોહવશ પડી ઈદ્રિ દ્વારા મેહની કાળી રમત કરવાથી એના જ સંસ્કાર ઊભા થાય. પછી ભાવી અવતારે એ સંસ્કારની રમતના બને, એ સહજ છે. ત્યારે ભાવમાં ભટકવાનું એટલે શું છે? મેહના સંસ્કારોની રમતના અવતારોની પરંપરા એ જ ભવભ્રમણ છે. અહીંની મેહઘેલી પ્રવૃત્તિઓ અને મેહવશતામાંથી એવી ભાવી રમત–પરંપરાને ચલાવનારા કુસંસ્કારના જથા ઊભા થાય એમાં નવાઈ નથી. એથી ઉલટું જે મનને જિનવશ-જિનાજ્ઞાવશ બનાવી દેવાય, તે મેહની કુટિલ ઘેલી રમત બંધ પડી જાય, ચિત્ત એમાં જાય નહિ, તેથી કુસંસ્કારો ન વધતાં, હાય એમાંથી ઘસારે પડતા જાય. એમ કરતાં કરતાં કુસંસ્કારે નષ્ટ, પછી એવા સંસ્કારોથી ચાલતી મોહરમતનાં જીવન
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy