SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમના પથે ચરિત્રનાયક ૩૧૭ છીએ. જે કે અમે માર્ગ ભૂલી ગયા છીએ પરંતુ આગળ જતાં જરૂર અમારો માર્ગ મળી રહેશે. સાધુઓને જેમાં તેમની મીઠી વાણી સાંભળી સરભ આનંદ પામે અને પૂછ્યું હે ધર્મગ્ર મુનિ મહારાજ ? આ ૫ લાકે કયે ધર્મ પાળે છે ? અને તેનો સાર શું છે? મુનિ બોલ્યા હે વત્સ? તું ખરેખર સરળ પ્રકૃતિ વાળે છે જેથી ધર્મ વિષે જાણવાની રૂચી થાય છે. હવે હું તને ટુંકમાં ધર્મ સમજાવું. માનવ માત્રને પિતાને જીવ વહાલું હોય છે તેથી પ્રાણીમાત્ર પર દયા રાખવી. કેઈપણ પ્રાણીને દુઃખ થાય એવું કદી કરવું નહિં. અન્યાયી અને પાપી રાજાને, છળ કપટ કરે તેવા મિત્રોને, પાયા વિનાના મકાનનો અને જે ધર્મ માં દયા ન હોય તેવા ધર્મને ત્યાગ કરવો જોઈએ, નિર્દોષ પ્રાણી કે પક્ષીઓને વધ કરીને માનવી ભયંકર પાપ કર્મ કરે છે અને પિતાની જાતે પોતાની સુગતિને ભંગ કરે છે. જેવી રીતે મસ્તક વિનાનું શરીર, સ્તંભ વિનાનું ઘર, યૌવનધન વિનાનું રૂપ, વાડ વિનાનું ખેતર, સેનાપતિ વિનાનું સૈન્ય, પુત્ર વિનાને પરિવાર, સમરણ વિના શાસ્ત્ર, જ્ઞાન વિનાનું ચારિત્ર્ય અને કમાણી વિનાનું ઘન કદી શોભતું નથી કે ટકતું નથી તેવી જ રીતે દયા વગરને ધર્મ પણ શુભતા નથી, મેટા હાથીથી માંડીને સુફમ કતવા સુધીના તમામ જીવેનું રક્ષણ કરવું તેજ ખરે ધર્મ સમજાવ્યો. દયા સમજાવી અને પુણ્યને માગે ચડાવ્યું તેથી તે ખુશ થયે અને મુનિ મહારાજને માર્ગે ચડાવ્યા
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy