SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ-ધમ્મિલકુમાર લાલસા છોડી દે અને આત્મા માટે ધર્મની કમાણી કરી લેવી જરૂરી છે. ધર્મ વિના કેઈનું કલ્યાણ નથી. આભવ અને પરભવમાં જે શાંતિ મેળવવી હોય તો ધર્મની આરાથના કરો. અનાદિ કાળથી ધર્મ વંચિત રહીને જીવે ઘણું ગુમાવ્યું છે. હવે સમજીને ધર્મની કમાણી કરવાને શુભ અવસર આવ્યું છે. તો ધર્મ કરવા માટે પ્રાપ્ત થયેલ પુણ્યને સદુપયોગ કરે કે જેથી ભવાંતર સુધરે અને શિયાએ મોક્ષ પ્રાપ્તિ થાય. કે આ સંસારમાં કવરૂપવાન સ્ત્રી, વિનયી પુત્ર, અઢળક ધનસંપત્તિ. બંગલા, મેટર-ગાડી જે કાંઈ મળ્યું છે, તે અમનોજ પ્રતાપ છે. અજ્ઞાનતાના કારણે માનવીઓ તે સમજી શકતાં નથી. સંસાર સુખ અને ભોગમાં આસક્ત રહી માનવી આ ભવ તે બગાડે છે પરંતુ પરભવને પણ બગાડે છે. મિહને આધીન બની પરભવ બગાડે છે. આ સાંભળી ગુણવર્માના હૃદયમાં ધર્મ પ્રત્યે મમતા ગી. અને પિતાની પત્નિ કનકવતીને કહે છે. હે પ્રિયે ! ગુરૂ મહારાજની આવી પવિત્ર વાણી સાંભળીને આ સંસાર મને જેલ જેવો લાગે છે. મારું મન મેક્ષમાર્ગે જવાધર્મ-ભાગે જવા ઈચ્છે છે. જે તું કહે તે આપણે બંને ગુરૂજી પાસે રત્નત્રયી દિક્ષા લઈ અને કર્મરૂપી શકુઓને નાશ કરીએ તું મને સાથ આપ. કનકવતી કહે- હે નાથ ! ગુરૂજીને ઉપદેશ ખરેખર સત્ય છે પરંતુ આપ જ તે વિચારો કે હજુ આપણે ભર જવાની છે, સંસારનો રસ ચાખ્યું નથી. ભેગો પૂરા
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy