SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮ ખંડ ૧ લે મૂકો ત્યાં એણે પોતાના પિતાને રોતા નિહાળ્યા. અને જાણ થઈ કે પિતાની બહેનના સ્વર્ગવાસના સમાચાર એના સાસરેથી આવ્યા છે. યુવાન પુત્રીના સ્વર્ગવાસે પિતાના હદયને આઘાત લાગે એ સ્વાભાવિક છે. માતાના ગુજરી ગયા બાદ ખેને જ ભાઈનું લાલન પાલન કર્યું હતું. એ બહેન પિતાને માટે આશ્વાસનનું સ્થાન હતું. ભાઈને માટે વિશ્રામનું સ્થાન હતું.એ બ્લેન ઘણી પ્રતિભાવંતી હતી. એની પ્રતિભાને અંગે રાજકુટુંબમાં, જ્ઞાતિ સમુદાયમાં સૌ કોઈ એને આદર આપતું. એ જ્યારે બોલતી ત્યારે જાણે એની વાણીમાં બુલબુલ બોલતાં. શ્વસુરગૃહની તો લાડકી થઈ ગઈ હતી. એનો પડ્યો બોલ ઝીલવા સૌ કોઈ તત્પર થઈ જતા. વધારે આશ્ચર્યની વાત તો એ હતી કે બ્લેનની બિમારીના કેઈ જાતને સમાચાર આવ્યા ન હતા. અને આ ઓચિંતું કેમ બન્યું ? હજુ તો થોડાક જ દહાડા પહેલાં બહેચરદાસ બહેનને ઘેર જઈ આવ્યા હતા. તે વખતે તે એના નખમાં યે રોગ ન હતો. મૃત્યુના સમાચાર મળતાં ઘણી નવાઈ લાગીઘણું દુઃખ થયું. જાણે બાપદીકરા ઉપર વીજળી ન પડી હોય. બંનેની આંખમાંથી શ્રાવણ ભાદર કરવા લાગ્યો. સ્વજનોના વિયોગ સદા દુઃખમય હોય છે–એ દુઃખની કલ્પના કરવી અશક્ય છે. અને અમથાલાલના હૈયાને આ કરુણ સમાચારે જબરે ફરકે માર્યો. એમનું તો હૈયું જ જાણે ભાંગી ગયું. જાણે અણધારી આત આવી પડી. અને પરિણામે તે જ દિવસથી એ માંદા પડ્યા. પથારીવશ થયા. અને એમની એ બિમારી દિનપ્રતિદિન વધવા લાગી. ઘરમાં બહેચરદાસ અને અમથાલાલની ડેન જીવી ફેઈ સિવાય કોઈ ન હતું. આ સમાચારની જાણ એમની પ્લેનને સાસરે કરવામાં આવી. પિતાજીની માંદગીની ખબર મળતાં બહેચરદાસની ખેવના દીકરાને લઈ સ્વ. ચંચળ બહેનના જેઠ આવી પહોંચ્યા. સૌ કેઈએ અમથાલાલની સારી
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy