SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ અનાથતા ૩૯ સેવા સુશ્રુષા કરી પણ બિમારી વધતી ગઈ. અને બચદાસના હૈયામાં ધ્યગ્રતા વ્યાપી. આખુંયે વાતાવરણ દુઃખમય બની ગયું. - જે તિથિએ ચંચળબહેનને સ્વર્ગવાસ થયો હતો તે જ તિથિએબરાબર એક મહિના બાદ અમથાલાલનો પણ સ્વર્ગવાસ થયો અને પિતાનો સ્વર્ગવાસ થતાં બહેચરદાસે માથાનું છત્ર ગુમાવ્યું; પણ બહેચરદાસની અનાથના માટે ક્રૂર વિધાતાને ઓછી જ લાગણી હતી. એણે તો એનું કાર્ય કર્યું. માનવીને જ્યારે દુઃખ આવે છે ત્યારે ચોગરદમથી આવે છે. જાણે એ દુઃખને સમય એની કસોટી રૂપ બની જાય છે. ગમે તેવો પુરૂષાર્થ હિંમતવાન માનવી પણ એવા સંજોગોમાં લાચાર બની જાય છે. એની બુદ્ધિ બહેર મારી જાય છે. જેની જગતમાં જેડ જડે એમ નથી–એવી માતા બાલ્યકાળમાં જ ચાલી ગઈ હતી. બહેન અને પિતાજી પણ એ જ માર્ગ પરવર્યા હતા. જેની સાથે બાલ્યવયમાં કિલ્લેસ કર્યો હતો એવી એકની એક બહેન પિતાને છોડીને જાય–જેની છત્રછાયામાં પોતે ઊછરીને મેટો થયો હોય એવા પિતાજી નિરાધાર દિશામાં મૂકીને પરલોક પંથે પ્રયાણ કરે એ ઘટના કેટલી દુઃખદ હતી. અને છતાં એ દુઃખદ ઘટના યાદ કરીને બહેચરદાસને સંસારમાં પોતાનું ગાડું ગબડાવવાનું હતું, અને પોતાની અનાથતા સાલતી હતી.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy