SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ખંડ ૮મે ગયે. ને જે જે ભાઈને જે જે જાતની જરૂર હતી તે તમામ એણે પૂરી પાડી. એણે કેવળ કરાચીમાં જ નહિ પણ બહારગામથી પણ મદદ માટે પ્રાર્થના આવતાં ત્યાં પણ તપાસ કરાવી મદદ મોકલવા માંડી. કરાચીના પ્રવાસ દરમિયાન મુનિરાજને ત્યાં કરાચીન ગરીબ જૈન માટે એક ચાલીની તેમજ જૈન વીશીની આવશ્યકતા જણાઈ હતી. આજે તો આપણે જોઈ રહ્યા છીએ કરાચીના રંગરાગ જુદા પલટાઈ રહ્યા છે એનો ઇતિહાસ આજે ન સજઈ રહ્યો છે. ત્યાંના મોટા ભાગના હિંદુઓએ ત્યાંથી આજે વિદાય લીધી છે. ત્યાં આજે પૂરતાના તાંડવ ખેલાઈ રહ્યાં છે. કરાચીમાં મુનિરાજના નિવાસ દરમિયાન હોપેથિક કોલેજ, અને હુન્નરશાળાની સ્થાપના થઈ હતી જે પાછળથી ગૃહસ્થોની બેદરકારીથી બંધ થઈ હતી. ઉપરાન્ત ઘણા યુવકને ધંધે વળગાડવામાં આવ્યા હતા. ઘણી અસહાય બહેનને મદદો આપવામાં આવી હતી. તેમજ ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જોઈતી સગવડ કરી આપવામાં આવી હતી.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy