SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૩૫ ] ૧૯. મધ્યસ્થ માણુસ શાસ્રયુક્તિને માન આપે છે. મૂઢ–ખઠર તેનુ જ ખંડન કરે છે. ૨૦. કાઇપણ ખામત ઉપર તટસ્થપણે વિચારીને જ પેાતાને અભિપ્રાય આપવા, ઉતાવળા થઇ અવિચારીપણે ઇન્સાફ આપવા જતાં ઊલટા અનર્થ થવા પામે છે. ર૧. માંસ, મદિરા, શિકાર, ચારી, જુગાર, પરસ્ત્રીંગમન અને વેશ્યાગમન-એ સાત મહા મુખ્યસના ઉભયલેાકવિરુદ્ધ હાવાથી જીવને મહા નીચ ગતિમાં લઇ જનારાં છે; તેથી જ તે સર્વથા વર્જ્ય છે. સત્સ’ગતિયેાગે આવા પાપથી જીવ સહેજે મચી જાય છે. ૨૨. દેશ, કાળ, બળ વિગેરેના પુખ્ત વિચાર કરી કા કરનાર તેમાં સફળતા મેળવે છે. ૨૩. સુખ દુ:ખ સમયે સરખા ભાગ લે તેવા મિત્ર, સદાચારથી પિતાને પ્રસન્ન કરે તેવા પુત્ર અને પતિનું એકાંત હિત ઇચ્છે એવી ભાર્યા કાઇક પુણ્યવતને જ પ્રાપ્ત થાય છે. ૨૪. જેનામાં કંઇ પુરુષાર્થ નથી તે પુરુષની ગણનામાં નથી. ૨૫. પ્રાપ્તસામગ્રીના સદુપયેાગ કરી જાણે તેઓ જ સહેજે સ્વપરહિત સાધી શકે છે. ૨૬. ખરા કલ્યાણમિત્ર પાપથી નિવારે, હિત સાથે જોડે, દોષ ઢાંકે, ણા પ્રગટ કરે, કષ્ટમાં ન તજે અને અવસરે મદદ કરે. ઉત્તમ પુરુષા સન્મિત્રનાં આવાં લક્ષણ વખાણે છે. ૨૭. સજ્જનાના ક્રેય દુર્જનાના સ્નેહ જેવા ક્ષણજીવી હાય છે તે લાંબે વખત ટકી શકતા નથી.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy