SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૬ ] શ્રી કપૂરવિજયજી ૨૮. સત્ય વચન વદવું એ મુખની શોભા છે. ૨૯. શીલ-સદાચાર એ ખરે શણગાર છે. ૩૦. ક્ષમાભરી અહિંસા ખરું અમૃત છે. ૩૧. સંતોષમાં ખરું સુખ રહેલું છે. [ જે. ધ. પ્ર. ૪૬, પૃ. ૧૯૧. ] સુભાષિતે. ૧. માણસ વિવિધ જાતનાં વસ્ત્ર–આભૂષણો માત્રથી નથી શિમતે, પરંતુ અમૃત સમાન શાંતિદાયક સુભાષિતો વડે તે શોભે છે; તેથી સુભાષિત જ માણસનું ખરું ભૂષણ છે. ૨. ગમે એવી ગમગીની દૂર કરાવી આનંદ આપનાર સુભાષિત છે, એથી સહુ કેઈ–જ્ઞાની કે અજ્ઞાની વશ થઈ જાય છે તેથી સુજ્ઞજનેએ સુભાષિતોને અવશ્ય આદર કરવો જોઈએ. ૩. ખર વિદ્વાન કોણ? જે સત્ય ભાખે, તપ આચરે, જ્ઞાન ઉપાસે, અહિંસા ને નિઃસ્વાર્થ પ્રેમ સેવે, જ્ઞાની જનેને નમે અને સુશીલતા પાળે–સદ્વર્તન સેવે તે જ ખરે વિદ્વાન છે, માત્ર વાપટુ વિદ્વાન નથી. ૪. જ્યાં સુધી દયારસથી ભરપૂર એવો સર્વજ્ઞકથિત ધર્મ શ્રવણચર થયેલ નથી ત્યાં સુધી મનુષ્યજન્માદિક પુન્યસામગ્રી પ્રાપ્ત થયેલી પણ નકામી લેખાય છે, કેમકે તેના વગર આત્મોન્નતિનો ખરો માર્ગ મળતું નથી.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy