SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : | [ ૧૭ ] જે ચીવટથી ત્યાગ કરે છે, ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણતા, પ્રમુખ બાવીશ પરિસહ પૈકી જે જે કઠણ પરિસિહો આવી પડે તે તે અદીનપણે–સમભાવે જે સહન કરે છે અને ચક્ષુ, શ્રોત્રાદિક પાંચે ઈન્દ્રિરૂપી અવળા ઘેડાઓને જ્ઞાનલગામવડે નિજ વશમાં રાખી જે મહાનુભાવ મુનિજનો સંયમમાર્ગને સાવધાનપણે સેવે છે તે અનુક્રમે સકળ કમ–મળને ક્ષય કરી મૂક્ષપદને મેળવી શકે છે. આ દુષ્કર સાધુધર્મ દઢ વૈરાગ્યથી આદરી જે તેને સિંહની પેઠે શૂરવીરપણે પાળે છે તે ભાગ્યશાળી ભાઈબહેનો ખરેખર ધન્ય-કૃતપુન્ય છે. શૃંગાર રસને અનાદર કરી, આઠ પદ્મિની સ્ત્રીઓનો સંગ છોડી, નવાણ કોડ સુવર્ણ ત્યાગ કરી, કેવળ મુક્તિ સાથે જ લય લગાડી અને શુદ્ધ ચારિત્ર-ધર્મને સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત કરી, જન્મ-મરણને ભય દૂર કરી એ જ ભવમાં જે પરમાનંદ પદમોક્ષને પ્રાપ્ત થયા એવા શ્રી જબસ્વામી મહામુનિને અમારે વારંવાર નમસ્કાર હો ! એ મહામુનિ સાધુધર્મના એક ઉત્તમ આદર્શ ( Ideal ) રૂપ હોવાથી એમનું ઉત્તમ ચારિત્ર મુમુક્ષુ જનોએ વારંવાર મનન કરી પરિશીલન કરવા યોગ્ય છે. ધન્ય છે એ મહામુનિને કે જેમણે પોતાના પવિત્ર ચારિત્રના પ્રબળ પ્રભાવથી પ્રભવાદિક પાંચસો ચોરોને પણ પ્રતિબોધી પરમાર્થ માર્ગમાં પ્રયોજી દીધા. જે આવા પુરુષાથી મહામુનિઓના પવિત્ર ચારિત્ર તરફ મુમુક્ષુજન સદાય દષ્ટિ રાખે તે આજકાલ દષ્ટિગત થતી સાધુધર્મમાં શિથિલતા શીર્ઘ દૂર થવા પામે અને પુનઃ પ્રબળ જ્ઞાનવૈરાગ્ય જાગૃત થતાં સાધુ-ધર્મ દીપ્તિમાન થવા પામે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy