SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૯૭ ] જેમ અત્યંત ભારથી ભરેલું નાવ ડૂબી દરિયા તળે જાય છે તેમ અતિ લોભવશ પરિગ્રહ-મમતાથી જીવ ભવસમુદ્રમાં ડૂબી જાય છે. આ દુર્લભ મનુષ્યભવાદિ શુભ સામગ્રી ગુમાવી દેનાર ફરી તે સામગ્રી પામી શકતા નથી. ફરી ફરી એવી સામગ્રી પામવી અતિ દુર્લભ છે, એમ સમજી સુજ્ઞજનેએ પરિણામે દુઃખદાયી દ્રવ્યની મમતાનો ત્યાગ કરી-દ્રવ્યલોભ તજી, સુખકારી ધર્મને જ લોભ કર યુક્ત છે. અનેક પ્રકારની દ્રવ્ય-સંપત્તિ લેવિશ એકઠી કરવા છતાં છેવટે તે છેહ દઈ જતી રહે છે, અથવા તેને તજી પિતાને જતું રહેવું પડે છે-જમશરણ થવું પડે છે એમ વિચારી જે ધર્મ સંપત્તિ (ગુણસંપદા) સદા ય સાથે રહે છે તેને સંચય કરવા શા માટે પ્રયત્ન ન કરો ? મમણ શેઠની પેઠે અનર્ગળ લક્ષમી એકઠી કર્યા છતાં કૃપણુતાના દેષથી તે લક્ષ્મી સુખને માટે નહિ પણ મિથ્યા મમતાવડે દુઃખને માટે જ થઈ છે. જેમ જેમ લક્ષમીનો લાભ થતો જાય છે તેમ તેમ લેભ પણ વધતો જાય છે. લેવિશ જીવ અધિક લક્ષમી મેળવવા જીવનમાં જોખમ ખેડે છે, મહાઆરંભ સમારંભવાળાં પાપવ્યાપાર કરે છે અને હાયય કરતાં મરીને છેવટે નરકાદિ દુર્ગતિને પામે છે. લેભાંધ જીવ નીતિ-ધર્મને અનાદર કરી અનીતિ-અધર્મને માગે ચાલે છે અને અનેક અધમ કાર્ય કરી આ લેકમાં અપવાદ અને પરલોકમાં પરમાધામીના માર ખાય છે, એમ સમજી સુજ્ઞ જનોએ એવી અધમ લેભવૃત્તિ તજી, સંતોષવૃત્તિ ધારી, બને ભવ સુધારી લેવા ગ્ય છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy