SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૯ ] શ્રી કરવિજયજી ૩૦. પરિગ્રહ-મમતા ત્યાગ પરિગ્રહ અથવા દ્રવ્ય મમતા તજવા હિતોપદેશ. શશિ ઉદય વધે છ્યું, સિધુ વેળા ભલેરી, ધન કરી મનસા એ, તેમ વાધે ઘણેરી; દૂરિત નરક સેરી, તું કરે તે પરેરી, મ મ કર અધિકેરી, પ્રીતિ એ અર્થકેરી. ૬૧ મનુષ્ય જનમ હારે, દુ:ખની કેડી ધારે, પરિગ્રહ મમતાએ, સ્વર્ગના સખ્ય વારે અધિક ધરણી લેવા, ધાતકી ખંડકેરી. સુભૂમ કુગતિ પામી, ચીરાયે ઘણેરી, દુર જેમ ચંદ્રમાના ઉદય સાથે સમુદ્રની વેલ વધતી જાય છે તેમ દ્રવ્યની વૃદ્ધિ થવાની સાથે મમતાની પણ વૃદ્ધિ થતી જાય છે, એમ સમજી પાપને પેદા કરનારી અને વૃદ્ધિ કરનારી નરકની શેરી સમાન મમતાને તું દૂર કર. અનિત્ય અને અસાર દ્રવ્યની અધિક પ્રીતિ ન કર ન કર. દ્રવ્યની મમતાવડે દુર્લભ માનવભવ એળે હારી જવાય છે, કોડે ગમે દુઃખ આવી પડે છે, અને સ્વર્ગના સુખથી બેનસીબ જ રહેવાય છે. પ્રાપ્ત છ ખંડ રાજ્યથી અસંતુષ્ટ રહેલા સુભમ ચક્રવર્તીએ, ધાતકી ખંડની પૃથ્વી સ્વવશ કરવા જતાં, પાપી મમતા ભેગે, તેના સેવક યક્ષેએ એકી સાથે ઉપેક્ષા કરવાથી, છતી ત્રાદ્ધિ હારી, સર્વ સાથે સમુદ્ર તળે જઈ, નીચ નરક ગતિ જ સાધી–પ્રાપ્ત કરી. ૧ સમુદ્રની ભરતી. ૨ દૂર કર. ૩ પૃથ્વી.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy