SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ ૨ ઃ [ ૯૫ વળી આખી દુનિયામાં વિખ્યાત થયેલી ટ્રપદી તથા સીતા નામની સતીને તેની સુશીલતા( સ્વપતિસંતાષ )ને લીધે અનેક દેવતાએ અને મનુષ્યાએ પણ પૂજી. જે શુભાશયવત સ્ત્રી પુરુષા પેાતાના મનને અને ઇન્દ્રિયાને કાબૂમાં રાખીને તેમને ઉન્માર્ગે જવા દેતા નથી તેઓ ગમે તેવી તેની કસોટી વખતે પ્રાણપ્રિય શીલવ્રતનું સંરક્ષણ કરી ઉત્તમ સતાસતીએની પંક્તિમાં લેખાવા ચેાગ્ય મને છે. આ સતીસતાનાં એવાં અનેક ઉદાર હૃષ્ટાંતા સુપ્રસિદ્ધ છે. આવાં સુશીલ સ્ત્રીપુરુષરત્નાને કષ્ટ વખતે દેવતાઓ પણ સહાય કરે છે. તેમના નિમ ળ યશ જગતમાં સર્વત્ર પ્રસરી રહે છે અને ગમે તેવુ દુષ્કર કાર્ય તેઓ સુખે સાધી શકે છે, નિર્મળ શીલના પ્રભાવે જ સુદર્શન શેઠની શૂળી ભાંગીને સિહાસન થઈ ગયું હતું. શીલના જ પ્રભાવે સતી સુભદ્રાએ કૂવામાંથી કાચે તાંતણે બાંધેલી ચાલણીવડે જળ કાઢીને ચંપાનગરીના દ્વાર ઉઘાડ્યાં હતાં અને શીલના જ પ્રભાવે સતી સીતાજીને અગ્નિ શીતળ થઇ ગયા હતા. સંક્ષેપમાં શિયળના પ્રભાવે વાઘ બકરી જેવા, સર્પ ફૂલની માળા જેવેશ, અગ્નિ પાણી જેવા અને સમુદ્ર સ્થળ જેવા થઇ જાય છે, એમ સમજી સુના જનાએ નિજ મન અને ઇન્દ્રિયાને મર્યાદામાં રાખો સદા ય સુશીલતા જ સેવવી જોઇએ કુશીલતાથી રાવણુ પ્રમુખના થયેલા ભૂંડા હાલ જાણી કદાપિ તેના સંગ કરવા નહિ. કુશીલતાથી જગતમાં અનેક માઠાં ઉપનામેા મળે છે, અને સુશીલતાથી સર્વત્ર યશવાદ ઉપરાંત સદ્ગતિ થાય છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy