SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી કપૂરવિજયજી દમન કરવાવડે જ બાહ્ય તપને અને બાહ્ય તપવડે જ અત્યંતર તપનો લાભ મળી શકે છે. તે વડે જ કર્મની નિરા-કર્મક્ષય થાય છે અને તે વડે જ જન્મમરણ રહિત મોક્ષપદ પ્રાપ્ત થાય છે, એમ સમજી સુજ્ઞ ભાઈબહેનોએ ઉક્ત પ્રભાવશાળી તપ સેવવા અધિક આદર કરવો ઉચિત-યુક્ત છે. ૨૧. ભાવ ધર્મ ભાવ ધર્મને પ્રભાવ. મન વિણ મળવો જ્ય, ચાહે દંતહીણે, ગુરુ વિણ ભણવે જ્ય, જીમ ર્યું અલૂણે; જસ વિણ બહુ જીવી, જીવ તે ક્યું ન સહે, તિમ ધરમ ન સેહે, ભાવના જે ન હેહે. ૪૩ ભરત નૃપ ઈલાચી, જીરણ શ્રેષ્ઠી ભાવે, વળી વલકલચીરી, કેવળજ્ઞાન પાવે, હળધર હરિણે જે, પાંચમે સ્વર્ગ જાયે, ઇહ જ ગુણ પસાયે, તાસ વિસ્તાર થાય. ૪૪ જેમ મન વગરનું મળવું, દાંત વગરનું ચાવવું, ગુરુગમ વગરનું ભણવું, અલૂણું ધાન જમવું અને જશ વગર ઘણું જીવવું એ શોભતું નથી તેમ હૃદયના ભાવ વગર ધર્મ પણ શેભતો નથી. હૃદયની સાચી ભાવનાથી જ ભરત મહારાજા આરીસાભુવનમાં નિજ સ્વરૂપ અવલોકન કરતાં કરતાં નિર્મળ કેવળજ્ઞાન પામ્યા હતા. ૧ લૂણ વિનાનું. ૨ બળભદ્ર-બળદેવ.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy