SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૭૭ ] સમતા સહિત તપ કર્યા વગર પૂર્વે કરેલાં દુષ્ટ કર્મોને નાશ થતો નથી, અને દુષ્કર તપ તપ્યા વગર વારંવાર જન્મમરણ કરવારૂપ ભવનો ફેરો ટળતો નથી. જિનેશ્વર દેવોએ આચરેલા અને ઉપદેશેલા તપના પ્રભાવવડે જ શ્રી ગૌતમસ્વામી અક્ષયમહાનસી પ્રમુખ અનેક ઉત્તમ લબ્ધિઓ પામ્યા હતા. નંદિષેણ મુનિજી એ જ તપના પ્રભાવવડે એવી લબ્ધિ પામ્યા હતા કે જેના વડે પોતે અનેક જીને પ્રતિબોધી સન્માર્ગગામી કરી શક્યા હતા. તેમ વિષ્ણુકુમાર મુનિ પણ એ જ તપના પ્રભાવવડે વૈકિય લબ્ધિ પામી, એક લક્ષ એજન પ્રમાણ શરીર વિક્વ, દુષ્ટ નમુચિ પ્રધાનને દાબી દેવા શક્તિમાન થયા હતા. તેથી શાસ્ત્રકાર એગ્ય જ કહે છે કે–તપના પ્રભાવવડે સર્વ કંઈ કામના સુખે સિદ્ધ થાય છે. જે કંઈ દૂર, દુરારાધ્ય અને દેવતાને પણ દુર્લભ હોય છે તે સઘળું તપના પ્રભાવે સમીપગત, સુસાધ્ય અને પામવું સુલભ થાય છે. દુષ્કર તપનું તેજ કોઈનાથી સહી શકાતું નથી; છતી કે પરાભવી શકાતું નથી. જે તપ નિરાશસભા–નિષ્કામવૃત્તિથી–નિ:સ્પૃહતાથી શાસ્ત્રદષ્ટિપૂર્વક કરવામાં આવે છે તે તપ સકળ કમળને બાળી નાંખી આત્મ–સુવર્ણને શુદ્ધ નિર્મળ કરી શકે છે. સમતા સહિત કરેલે તપ નિકાચિત કર્મને પણ બાળી નાંખે છે. ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ આદિ બાહ્ય તપ કરવાને હેતુ, નિજ દોષનું શોધન કરી વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને મમતા ત્યાગ કરવારૂપ અત્યંતર તપને લાભ મેળવવાનું છે. કારણવડે જ કાર્ય નીપજે છે. ઈન્દ્રિયાદિકનું
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy