SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ આજના યુગમાં કેટલીક બાબતમાં જે ગેરસમજો પ્રવર્તે છે. માત્ર ઉત્સર્ગને જાણનારા છે આ અપવાદ માર્ગની સમજણના અભાવે કે ઉતાવળભાવે કેટલીક સારી પ્રવૃત્તિઓની પણ અપવાદ છે કહીને, કાં અશાસ્ત્રીય જણાવીને ટીકા કરે છે. તેઓ માટે, આમાંનાં સમાધાનો તટસ્થ દૃષ્ટિએ છે. વાચકો વિચારશે તો વિરોધ કરવાનું ટાળશે અને જૈનધર્મની દૃષ્ટિ પામીને દૃષ્ટિનું ફલક કેટલું છે. વિશાળ અને ઉદાત્ત હોવું જોઈએ તેનો માર્મિક યથાર્થ બોધ આપી જશે. અભ્યાસી સહુ શ્રમણ-શ્રમણીઓએ આ કૃતિ વાંચવી જોઈએ. પ્રતિનો પરિચય અલગ આપ્યો છે. ૯. તેર કાઠિયાનો પરિચય અને સંપાદકીય નોધઅખિલ બ્રહ્માંડમાં બે સત્તાઓનું માન સામ્રાજ્ય અનાદિકાલથી પ્રવર્તે છે. એક છે કે ; ધર્મસત્તા અને બીજી છે કર્મસત્તા. ધર્મસામ્રાજ્યના સમ્રારાજા છે તીર્થકર અરિહંત પરમાત્મા, છે અને કર્મસત્તાના સમ્રાટ છે મોહરાજા, બંને નેતાઓ, આ સંસારના પ્રજાજનો પોતપોતાના છે આદેશોનો સ્વીકાર-પાલન કરી પોતાના કબજામાં રહે એમ ઈચ્છે છે, એટલે બંને સત્તાઓ વચ્ચે અનાદિ કાલથી સંઘર્ષ ચાલે છે. બંને પોતાનું સામ્રાજય વિસ્તરતું રહે, વિસ્તરેલું છે એમાંથી જરાએ ઓછું ન થાય. એ માટે તેઓએ પોતાના અનેક અધિકારીઓ નીમ્યા છે. મોહરાજાના જે સેનાધિપતિઓ ક્રોધ, માન, માયા અને લોભ છે. અને એના હાથ નીચે તેઓના તેર (કે તેથી છે વધુ) અધિકારીઓ છે, જેઓ કર્મરાજાનું શાસન સદાયે વિજયવંતુ રહે એ માટે સતત ચોકીપહેરો ભરી રહ્યા છે. દેખરેખ રાખી રહ્યા છે. આ અધિકારીઓ સામાન્ય રીતે તેર છે અને તેને કાઠિયા તરીકે ઓળખાવવામાં આવ્યા છે. આ કાઠિયા ક્યાં ક્યાં કયા કયા પ્રસંગોએ કેવી રીતે અચૂક હાજર થઈ જાય છે અને છે માણસને ઉંધે રસ્તે ચઢાવી પોતાના ધાર્યા નિશાનો પાર પાડી કેવી રીતે સફળતા મેળવે છે, છે. આવા પ્રસંગે ધર્મરાજાનો ઉપદેશ કેવી રીતે તેઓને બચાવે છે. એ બધો અધિકાર આમાં એ ઉપકારી ગુરુ ભગવંતોએ સુંદર રીતે વર્ણવ્યો છે. જે વાંચતા આનંદ ઉપજે એવો બોધક અને એ છે પ્રેરક છે. છે. ઘણીવાર વ્યકિતને પોતાને જ ખ્યાલ નથી હોતો કે મારી સામે શું ચાલી રહ્યું છે. મારા છે . આત્મિક-આધ્યાત્મિક વિકાસના માર્ગમાં કોણ કોણ પત્થરો-અવરોધો મૂકી રહ્યું છે તેનો યથાર્થ છે ખ્યાલ હોતો જ નથી. જેને હોય છે તેને અધૂરો હોય છે. પરિણામે જાગૃત દશા રાખવી જોઈએ છે તે આત્મા રાખી શકતો નથી અને માર ખાધા કરે છે. છે. આ માટે ઉપકારી પુરુષે આવા નિબંધો દ્વારા સહુ સમજી શકે તેવી સીધીસાદી ગામઠી છે ભાષામાં તેર કાઠિયાનો નિબંધ બનાવ્યો છે. આ કાઠિયા સારાં કાર્યો ન કરવા દેવા માટે કે તે ન કરી શકે તે માટે વારે વારે કેવા ઝટ લઈને મનમાં ખડા થઈ જાય છે? તેનો આનંદ આપે છે છે એવો સુંદર, રોચક, મજાનો ચિતાર આપ્યો છે. આ ચિતાર જૂની ગુજરાતી ભાષામાં હોવાથી આજની ગુજરાતીમાં તેનો અનુવાદ આપવો
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy