SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ******************* ******* કલશાકાર શા માટે— આ કલશાકાર અંગે જુદાં જુદાં અનુમાનો રજૂ કરી શકાય, પણ બીજાં કારણો જતાં કરીને જે વધુ મહત્ત્વનું જાણવા યોગ્ય કારણ છે તે જ રજૂ કરું છું. ત્રય******************* કળશ કે ઘટ એ જલ ભરવાનું જ સાધન છે. કહો કે તે જળનું પ્રતીક છે. જળના ગુણધર્મો શીતલતા, પવિત્રતા અને શાંતિ આપવાના છે. એટલે ધ્યાન કરનાર ધ્યાતાની સામે જેવું પ્રતીક હોય તેવી તેને કલ્પના આવ્યા કરે, જેવી કલ્પના કે વિચાર આવ્યા કરે તેવું તેનું ચિંતન થાય અને જેવો ચિંતનમાં વિચાર આવે તેવો તેનો આકાર બને, સાકાર બનેલો વિચાર યથાયોગ્ય ફળને નિર્માણ કરે. શુભપ્રતીક શુભને જન્મ આપે, અશુભ પ્રતીક અશુભને જન્મ આપે. તાત્પર્ય એ કે કલશાકાર પૂર્વકનું ધ્યાન ખૂબ શાંતિ અને શીતલતા આપે છે, મંત્ર અનુષ્ઠાનમાંના ષટ્ કર્મમાં પહેલાં શાંતિક કર્મમાં આનો સમાવેશ થાય છે. વળી કળશ અષ્ટમંગલ પૈકીનું એક મંગલ ચિહ્ન હોવાના કારણે પણ તે મંગલ સૂચક મનાયો છે. અનેક વિધિઓનો પ્રારંભ જળભૂત (ભરેલા) ઘટ-કળશથી જ થાય છે. આનો શાંતિક વિધિ પણ ભવ્ય રીતે આનંદોત્સાહપૂર્વક ઉજવાય છે. આના શુકન પણ શકુન શાસ્ત્રમાં શુભ ફલપ્રદ કહેલ છે. #KAMALK આંખ અને ખેસ મૂકવાનું શું કારણ છે? આંખ મૂકવાનું તથા કલશના પેટની બંને બાજુએ ગાંઠ બાંધીને બતાવતા લટકતા ખેસનું પ્રયોજન શું છે? તેનો ખુલાસો ક્યાંય વાંચવા-જાણવામાં નથી આવ્યો, ફક્ત વિવિધ અનુમાનો કરી સંતોષ માનવાનો રહે એટલે આપણે પણ અનુમાનો રજૂ કરીએ. ૧. પ્રથમ ચક્ષુઓ માટે— સામાન્યતઃ ખુલ્લી ચક્ષુઓ જીવતા જીવનનો ખ્યાલ આપતું પ્રતીક છે, એટલે આ યંત્રમંત્રનો પ્રભાવ પણ જીવંત છે એવું જણાવવા. જાગ્રત અને સ્થિરદૃષ્ટિ રાખીને સાધના-ધ્યાન કરજો તેવી પ્રેરણા આપવા. ૩. આ યંત્રની સાધનાથી અજ્ઞાનના અંધકાર દૂર થઇ તેના ફલ રૂપે જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે તેનો ખ્યાલ આપવા. ૨. ૪. આની ઉપાસનાથી સાધનાની અંતિમ સિદ્ધિ તરીકે સર્વોચ્ચ કોટિનું કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત થાય છે. તે બંનેનો બે ચક્ષુ દ્વારા ખ્યાલ આપવા. આવા અનુમાનો વિચારી શકાય. ૧. કલશના પેટના છેડે જે ખેસના બાંધેલા છેડા બતાવવામાં આવે છે તેનો યથાર્થ અર્થ ગ્રંથમાં ક્યાંય મળ્યો નથી. આપણે કલ્પનાથી ઘટાવીએ તે વાત જુદી. RAMAMA スペル א.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy