SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ( દૃષ્ટિએ રહેલી છે, કલશાકારની સપ્રમાણતા અને સુન્દરતા બધી રીતે જળવાઇ રહે તે ધ્યાનમાં તો રાખીને દોરવામાં આવ્યો છે. ગુરુપાદુકા અંગે ગુરુપાદુકા પૂજનની પ્રાર્થનામાં જૈવ તથા અન્ય ઉલ્લેખોના આધારે ? ર વલયમાં પાદુકા જાણીને ચીતરાવી છે. પ્રાચીન પદોમાં કેટલાકમાં તે હતી અને કેટલાકમાં ન કર હતી. કલશના આકાર અંગે એક વિચારણા કલશનો આકાર કેવો બનાવવો એ ચોક્કસ નિર્ણય માગે તેવી બાબત છે. પરંતુ આપણી ૪ પાસે મૂલકર્તાને કયો આકાર ઈષ્ટ હશે તેને જાણવા માટે તેઓએ નિર્માણ કરેલું કોઈ યંત્ર- ૩ આ ચિત્ર લભ્ય નથી. એટલે આ યંત્ર કેવી રીતે બનાવવું તેને જણાવનારા ગ્રન્થો તરફ જ વળવું : જોઇએ, ત્યારે આ યંત્ર બનાવવાની રીત સિરિવાલકહા (એટલે શ્રીપાળ કથા) નામના ગ્રંથમાં પર જ માત્ર મળે છે. આ ગ્રન્થનું મૂલ અને ટીકામાં આકાર બનાવવા માટે જે વિધાન કર્યું એ તે જ માત્ર આજે એક આધાર છે. પણ ચિત્રકલાના આલેખનની અમુક પ્રક્રિયા સુગમ રીતે ? પર સમજાવવા માટે ભાષા પણ પૂરૂં સામર્થ્ય ધરાવતી નથી હોતી, તલસ્પર્શી સમજ આપવા માટે છેક્યારેક ભાષાનો ગજ પણ ટૂંકો પડે છે અને “સોચ' પંક્તિ માટે એવો જ અનુભવ થાય દે તેવું છે. આ સંજોગોમાં તો વાચકો પોતપોતાના બુદ્ધિબળ પ્રમાણે અર્થનિખત્તિ કરે અને તદનુસાર . આલેખન કરાવે એટલે પછી પટોમાં ચિત્ર-વિચિત્ર પ્રકારોમાં અને વૈવિધ્યનાં દર્શન થાય તે રીતે સ્વાભાવિક છે. જૂનાં ચિત્રપટો (નવાં પણ) જોયાં તો તે પરસ્પર ચૂનાધિક ફેરફારવાળા એટલે એક બીજા નું છે. પ્રત્યે કંઈ ને કંઈ અસામ્યતા ધરાવતાં હતાં. મેં ઉપર કહ્યું તેમ “ ન્ય' પંક્તિના છ શબ્દોના અર્થ વિવિધ રીતે શ્રમ ઊભો કરે તેવો છે. એટલે જેણે જે રીતે અર્થ બેઠો તેણે તે રીતે આકાર ચિતરાવ્યો, એટલે પટોમાં એકવાક્યતા કે સમાનતા આવી ન શકી. મારી જ વાત કરું કે, આ પંક્તિનું જયારે મેં ચિંતન કરવા માંડ્યું ત્યારે મારા મનની કરે શાખા ઉપર વિકલ્પોની અનેક કૂંપળો ફૂટી નીકળી હતી. પછી તો છેવટે એક જ નિર્ણય લેવાનું મારા માટે અનિવાર્ય બની ગયું હતું. સાશંક મને જે નિર્ણય લેવાયો તે અનુસાર એક જ દીર રેખામાંથી કલશાકાર બનાવરાવ્યો. યત શબ્દ હોવાથી ગુથેલાં દોરડાંની વર્તુલ પંક્તિ પ (કાપા હું મૂકીને) ચિતરાવી છે. આમ કરીને યથાર્થ સત્યની વધુમાં વધુ નજીક પહોંચવા નમ્ર પ્રયત્ન સેવ્યો છે. મર્યાદિત છે. સાધન શક્તિ સો ટકા પરિણામ (રીઝલ્ટ) શી રીતે લાવી શકે!
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy