SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ P$$$$$$$$$$$$8SXSXSSSSS&S888888888888S&SSSSSSSSERTA જો મેળવી અત્યાવશ્યક પ્રસંગે ચમત્કારો પણ બતાવ્યા હતા અને જનતામાં ધાર્મિક શ્રદ્ધાનો વિસ્તાર છે જે વધારી નાસ્તિકોને પણ આસ્તિક બનાવ્યા હતા અને શાસનપ્રભાવનામાં મહાન ફાળો આપ્યો હતો. છે છે એટલે મંત્ર અને તેને લગતા સાહિત્યનું સર્જન, સંવર્ધન અને વિવર્ધન કાળે કાળે થતું રહ્યું છે ) છે. પૂર્વાચાર્યોએ નવકાર ઉપર સ્વતંત્ર ગ્રન્થો રૂપે, તેમ તે અંગેના ગ્રન્થસંદર્ભોમાં ઘણું લખ્યું છે. ) છેલ્લા દશકામાં વિદ્વાન મુનિવરોના શ્રેષ્ઠ પ્રયાસોના કારણે નમકારમંત્ર બાબતમાં સુંદર જાગૃતિ આવી છે. વિવિધ ભાષામાં નવકાર સૂત્ર-મંત્ર ઉપર દોઢેક ડઝન જેટલા ગ્રન્થો છપાઈને જીર બહાર પડ્યા છે. એમાં આજે “નમસ્કારમંત્રસિદ્ધિ' નામના આ ગ્રન્થનો ઉમેરો થાય છે. આના $ લેખક છે અનેક શક્તિઓથી થનગનતા, સેકડો પુસ્તકોના યશસ્વી લેખક, શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ. જૈન સમાજમાં ગણ્યાગાંઠ્યા લેખકો પૈકીના તેઓ સન્માન્ય અને છે. સિદ્ધહસ્ત લેખક છે. જૈન-અર્ચન વચ્ચે ખૂબ જાણીતા થયેલા લેખકનો વધુ પરિચય આપવો તે છે. ઉલટું અવિવેકમાં ખપે, એટલે પ્રસ્તુત પુસ્તક અંગે જ કંઈક કહું એ ઉચિત છે. ગ્રન્થની નવીનતા અને વિશિષ્ટતાઓ | નવકારમંત્ર ઉપર આ અગાઉ બહાર પડેલાં ત્રણેક પુસ્તકો અને પ્રકાશિત થતાં આ પુસ્તક છે વચ્ચે વિષય અને વિગતોનું કેટલુંક સામ્ય વાચકોને જોવા મળશે, પરંતુ એટલા માત્રથી ઉતાવળે છે છે એમ માની લેવાની જરૂર નથી કે આમાં નવીનતા નથી. લેખકનું વિશાળ વાંચન, રજૂઆત ) જી કરવાની તેમની વિશિષ્ટતા, વિષયને સરલતા અને સ્પષ્ટતાથી કહેવાની આવડત, ગ્રંથસંકલનની ) કુનેહ અને એ બધાયને જેબ આપે એવું એમનું ભાષાનું મધુર આકર્ષણ, આ બધાયને લીધે ) છું એમાં અનેક નવીનતાઓ જોવા મળશે. પ્રગટ થએલાં પુસ્તકો કરતાં આમાં સાધનાખંડ વિસ્તારથી વ્યવસ્થિત રીતે રજૂ થયો છે, છે તેમજ ઉપયોગી મંત્રસંગ્રહ આપી ગ્રન્થની ઉપાદેયતામાં વધારો કરવામાં આવ્યો છે. વિશેષમાં તેમણે ૬૪ જેટલા ગ્રન્થોનો આ સર્જનમાં આધાર લીધો છે, તે એમના વિશાળ હું સ્વાધ્યાય તથા ‘નામૂર્ત નિયત વિગ્નત' ની નીતિનું પ્રબળ પ્રમાણ પૂરું પાડે છે. પુરુષાર્થની મૂર્તિ જેવા લેખકબંધુને સાદર અનુરોધ છે કે, હવે તેઓ જૈન કર્યસાહિત્યને જ જ લગતું સાહિત્ય આધુનિકતાના ઢાંચામાં ઢાળીને આપવાના પુરુષાર્થ તરફ વળે અને વિવિધ . સાહિત્યોપાસના દ્વારા જીવનને ધન્ય બનાવે! ક્ષમાયાચનામાથા કરતાં પાઘડી મોટી'ની જેમ પ્રસ્તાવનાની દીર્ઘતા બાબતમાં દિલગીરી વ્યક્ત કરી, મારાં જ જીવનનાં અંધારાં ઉલેચાય, અપૂર્ણતામાંથી પૂર્ણતાના ધ્રુવતારક તરફ પ્રગતિ થાય, એ માટે છે ૧. મંતવાદીને જેનશાસ્ત્રમાં આઠ પ્રભાવકો પૈકીના છઠ્ઠા પ્રભાવક કહ્યા છે. જુઓ-છઠ્ઠો વિદ્યા રે મંત્ર તણો બેલી.' (યશોવિજયજી) feeeeeeeee& [ ૨૫૭ ] ®e®®eeeeeee
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy