SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ # $$$$$$$$$$$SGR છે. ચાલતાં, જાગતાં, છીંક આવે ત્યારે, અન્ન-જળ લેતા પહેલાં, પ્રયાણ કે પ્રવેશ કાળે કોઈપણ કાર્યના પ્રારંભમાં શુદ્ધોચ્ચારપૂર્વક નવકારનું સ્મરણ કરો. ધીમે ધીમે તેની ગતિ વધારો, એટલે સંખ્યાબળ છે © વધારો, સાથે સાથે વિધિ અને ભાવની વિશુદ્ધિ વધારતા જાવ, કારણ કે એકલું સંખ્યાબળ પૂરતું છે 9) નથી. સાથે આત્મશુદ્ધિ પણ વધવી જ જોઈએ. કોન્ટીટી (Quantity) અને ફોલિટી (Quality) છે @ બંનેનો સુમેળ સાધો. આથી જાગૃત લક્ષ્યવાળો આત્મા થોડાક જ વરસોમાં એવી સ્થિતિએ પહોંચશે છે) @ કે સંસારાભિમુખી કોઈ પણ વિચાર, વાણી, વહેવાર કે કાયાની પ્રવૃત્તિ ચાલતી હશે તે વખતે, છે . હૈયામાં નવકાર સ્મરણની જ્યોત પ્રજ્વલિત રહેશે. ઘડીભર આછી પડશે તો તે વખતે પણ, ક્યારે ) શુ કામ પતે અને નવકાર શરૂ થઈ જાય, આ જ વિચાર અખંડ જ્યોત જેવો બની ગયો હશે. આથી ) @ સંસાર પ્રત્યેની આસક્તિઓ-વાસનાઓ પતલી થતાં તેની બાદબાકીઓ થતી હશે. એ રીતે ઉત્તરોત્તર 9 છે આગેકદમ કૂચ વધતાં મન સાથે એવો જડબેસલાક સુદઢ સંસ્કાર જામી જશે કે શ્વાસોચ્છવાસની આ ક્રિયાની જેમ વિના પ્રયત્ન સ્વાભાવિક રીતે રટાયા કરતા મનપાના જેવી સ્થિતિ નિર્માણ થશે. ત્યારે છું. જ તો સંસારની તમામ પ્રવૃત્તિના ભાગાકારો થઈ ચૂક્યા હશે! % આવા સંસ્કાર માટે એકાદ પદ જ કામયાબ નીવડે છે. માટે નમો રિહંતાણં આ મુખ્યપદ જ પસંદ કરો, તેને સર્વત્ર રટો, અને જુઓ કે શ્રીપાલકુમારની જેમ તે કેવું લસોટાય છે! પછી ગમે છે તેવા ભયંકર કે વિકટ સંજોગોમાં, મૃત્યુની આખરી ચેતવણી (અલ્ટીમેટમ) વખતે પણ તમારા મનનો છે તાર અરિહંત જોડે જ જોડાયેલો રહેશે. અને “ઓ મા!' કે “ઓ બાપરે!' યાદ ન આવતાં પ્રસ્તુત છે સાહજિક સંસ્કારના કારણે અરિહંત' કે ‘નમો અરિહંતાણં' ના ઉદ્ગારો જ સરી પડશે. પ્રસ્તુત પ્રકાશન અંગે પ્રસ્તુત પ્રકાશન અંગે કંઈક કહેવા માંગું છું. મંત્ર કે વિદ્યાઓ એ આ દેશના લોહીમાં પ્રસરેલી બાબત છે. આનું આકર્ષણ છે માનવસ્વભાવમાં સદાય રહેવાનું છે. દરેક દેશમાં તેનો આદર થયો છે ને તે ઉપર અનેક મોટા ગ્રન્થો રચાયા છે. પ્રાચીનકાલમાં ભારતીય વિદ્વાનોના હાથે ચારેક હજાર ગ્રન્થો લખાયા હતા. આજે પણ છે સેંકડો ગ્રન્થો વિદ્યમાન છે. ભગવાન મહાવીરના શિષ્યોએ પણ એમની હયાતિમાં વિધાપવા નામનો હજારો મંત્ર, તંત્ર, . યંત્ર, અને વિદ્યાઓથી ભરપૂર ગ્રન્થ રચ્યો હતો, જે આજે ઉપલબ્ધ નથી. હજારો વરસથી ) છે. જૈનાચાર્યો પણ મંત્ર શાસ્ત્રો રચતાં આવ્યાં છે. તેની જોરદાર ઉપાસના કરીને અનેક સિદ્ધિઓ છે ૧. મહાનિશીથમાં રોજનો અઢી હજાર જાપ કરવાનું જણાવ્યું છે. ૨. કલેશ, કંકાસ, ઝઘડા, વાદવિવાદ વખતે ધારણાથી પ્રતિકૂલ ખબરો આવે ત્યારે બંને પક્ષે કષાયનો પારો ઘટાડવા ‘નમો અરિહંતાણં' બોલો, જુઓ કેવી મજા આવે છે! પણ ભલા, પાત્રાપાત્રની વિવેકદૃષ્ટિનો ઉપયોગ રાખીને આ પ્રયોગ કરજો. ૩. સરલતા ખાતર “અરિહંત' પણ ચાલે. %69%69%69%69%69 %
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy