SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ થિ જૈન સાહિત્ય પ્રસિદ્ધ થયું છે તે પણ વિપુલ પ્રમાણમાં છે અને છેલ્લા દશકામાં તો આધુનિક છે. . દૃષ્ટિએ સંપાદિત થયેલું સાહિત્ય પણ ઠીક ઠીક પ્રમાણમાં બહાર પડી ચૂક્યું છે, છતાં આજના જે વિદ્વાન લેખકો તેને લક્ષ્યપૂર્વક વાંચતા નથી, સમજતા નથી અને ઉપર ઉપરથી વાંચીને ઇધરછે. તિધરથી ઉઠાવીને પોતાના ગ્રંથમાં માત્ર બે ત્રણ પાનાં, જેન-દર્શન સાહિત્યને લગતાં લખવાનાં પર રાખ્યાં હોય તે ભરી દે છે અને પોતાની જાતને સંતોષ મનાવે છે, પણ આ રીતે પાનાં ભરવાથી છેમાત્ર જૈન સાહિત્યને ક્યારેય ન્યાય કે સંતોષ આપી શકાતો નથી અને આ જ કારણે બીજા આ નંબરના અપરાધી તરીકે હું લેખકોને સૂચવી શકું! છે. પણ હવે બન્નેએ નિરપરાધી બનવું જોઈએ. જૈનસંઘ તરફથી તો છેલ્લાં દશ વર્ષમાં અનેક લો છે. દેશીય સાહિત્ય બહાર પડ્યું છે અને હવે એ દિશામાં સારા પ્રમાણમાં પ્રયત્નો જરૂરી પણ જ છે એટલે હવે લેખકોને પોતાનો ધર્મ બજાવવાનો રહે છે. એટલે કે તેઓએ જૈન સાહિત્યનો છે છેઊંડા ઊતરીને મનનપૂર્વક ઠીક ઠીક અનુગમ કરવો જ જોઈશે, એના મૌલિક ઉદ્દેશો અને આ ઉચ્ચતમ સિદ્ધાન્તો, એની પરિભાષાઓ, અજોડ ખૂબીઓ અને વળી, એના સાંસ્કૃતિક કાર્યક્રમો અને છે વગેરેને ખૂબ ખૂબ અર્થપૂર્ણ રીતે સમજવા જોઈશે. જૈન દર્શન એ એક નિરાલું દર્શન છે. એની સર્વજ્ઞમૂલક ખૂબીઓ અનન્ય છે. મધ્યસ્થભાવે ને આમૂલચૂલક અધ્યયન કર્યા વિના એનું સાચું રહસ્ય લાધશે નહિ અને એનું સાંસ્કૃતિક ગૌરવ છે પણ સમજાશે નહીં. અન્ય સંસ્કૃતિઓના અધ્યયન સાથે ભારતની આ મહાન સંસ્કૃતિનું અધ્યયન કરી એ નહિ થાય ત્યાં સુધી અન્ય સાંસ્કૃતિક અધ્યયનો અપૂર્ણ જ રહેશે અને વિદ્વાનોને તે ચમકતાં જો છેનહિ જ લાગે. આ વાત હું જ કહું છું એમ નથી; પણ આજના માધ્યશ્ય વૃત્તિ ધરાવનારા છેઅજૈન વિદ્વાનો પણ આ જ હકીકતને જાહેરમાં જોરશોરથી કહે છે. એટલે અજૈન વિદ્વાનોને છે મારી વિનંતિ છે કે તેઓ જરી-પુરાણા થયેલા અસત્ પૂર્વગ્રહોને હવે ઝડપથી છોડે, પરાયા ભાવને તિલાંજલિ આપે, અને જૈન સંસ્કૃતિનું અધ્યયન-અધ્યાપન કરવા-કરાવવામાં, પૂરતો રસ છે અને ઉત્સાહ દાખવે. આ ઠેકાણે મને જણાવતા આનંદ થાય છે કે, આપણાં કેટલાય ભારતીય વિદ્વાનોને એ છે છેપ્રતીતિ થઈ છે કે જૈન સાહિત્યમાં સર્વદેશીય અને સાર્થક્ષેત્રીય હકીકતોનો અખૂટ ખજાનો ભય જો છે, એટલે એ તરફ હવે તેઓનું ઠીક ઠીક પ્રમાણમાં આકર્ષણ વધતું ચાલ્યું છે. તેઓ જૈન સંસ્કૃતિના અધ્યયનમાં રસ લઈ રહ્યાં છે, અને અધ્યયનની વિશિષ્ટ દિશાને ખુલ્લી કરી મોકળી કરી રહ્યાં છે. અને તેમના જ હાથે– જૈનસંઘ પાસે વિપુલ સાહિત્ય સમૃદ્ધિ નથી, અને સાર્વદેશીય સાહિત્ય-સર્જન છે જ ક્યાં?” છે. ઇત્યાદિ જે જે ગેરસમજભર્યા અભિપ્રાયો, ખોટી રીતે બંધાયા હતા અને તેથી કેટલાકના છે હાથે જે અસંબદ્ધ વિધાનો બોલાયાં, લખાયાં અને છપાયાં હતાં, એનાં પરિમાર્જનની શરૂઆત દર પણ થઈ ચૂકી છે. એ ખરેખર! એક અતિઆનંદનો વિષય છે. છે. જૈનસંઘને મારી સૂચના-વિનંતિ છે કે, વર્તમાન પરિસ્થિતિ, જૈન સંસ્કૃતિના પ્રકાશ અને
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy