SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ધર્મસંગ્રહ - ઉપાધ્યાય માનવિજયજી ગણિવરે લખ્યો છે. અનુવાદ ભદ્રંકરસૂરિશ્વરજી મહારાજે કર્યું છે. શ્રાવકના બાર વ્રત આદિનું નિરૂપણ કર્યું છે. આ ઉપરાંત પણ ‘શ્રી તત્ત્વાર્થ સૂત્ર’, ‘ઉપદેશ રત્નાકર’, ‘સમ્યક્ત્વ સમતિ', ધનપાળ કવિકૃત ‘શ્રાવક આચાર સ્તોત્ર' વગેરે ઘણા ગ્રંથોમાં શ્રાવકધર્મનો અધિકાર આવે છે. શ્રાવક ધર્મરૂપી બાર વ્રતનું આલેખન (૧) સ્થૂલપ્રાણાતિપાત વિરમણ વ્રત (પહેલું અણુવ્રત) + વ્રત આટલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં સ્થૂલ + પ્રાણ + અતિપાત + વિરમણ શબ્દો છે. એના અર્થ છે સ્થૂલ જીવોની હિંસાથી દૂર રહેવાનું વ્રત. પહેલા નાના વ્રતમાં શ્રાવકે સ્થૂલ જીવોની હિંસાથી નિવર્તવાનું હોય છે. જીવ બે પ્રકારના હોય છે. ૧) સ્થાવર જીવ અને ૨) ત્રસ જીવ તે સ્થૂલ. તેમાં ગૃહસ્થોને સ્થાવર જીવોની હિંસાથી બચવું મુશ્કેલ છે. કારણ કે સંસાર સંબંધી અનેક કાર્યોમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરો અને વનસ્પતિની હિંસા કરવાનો પ્રસંગ વારંવાર બને છે. એટલા માટે ‘સ્થૂલ પાણઈવાયાઓ વેરમણ' અર્થાત્ સ્થૂલ નિરપરાધી અને નિર્દોષ ત્રસ જીવને (બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવને) જાણીને, ઓળખીને, મારવાનો સંકલ્પ કરીને, જાણી જોઈને, ઉદ્દેશીને સ્વયં હણે નહિ. બીજા પાસેથી હણાવે નહિ. એમ બે પ્રકારના કરણે અને મન, વચન અને કાયના ત્રણ યોગથી ત્રસ જીવની હિંસાની નિવૃત્તિરૂપ વ્રતનું આચરણ કરે. સ્વીકારેલા વ્રતમાં સ્થિરતા રહે, ઉપાસકના ભાવોમાં ન્યૂનતા ન આવે તેના માટે જૈન સાધના પદ્ધતિમાં અતિચાર વર્જનરૂપ સુંદર ઉપાય દર્શાવ્યો છે. અતિચાર એટલે વ્રતમાં કોઈ પ્રકારની દુર્બળતા, સ્ખલના અથવા આંશિક મલિનતા થવી. ઉપાસકોએ અતિચારોને યથાવત્ સ્વરૂપમાં સમજીને જાગૃતિ અને આત્મબળ સાથે તેનો ત્યાગ કરવો. તે વ્રતને સુરક્ષિત રાખવા માટે અતિ આવશ્યક છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં શ્રાવક ધર્મરૂપી પહેલું અણુવ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણનું સ્વરૂપ દર્શાવી તેના પાંચ અતિચાર ઢાલ - ૩૬ પંકિત નંબર ૯૭ થી ૯૮ ઢાલ - ૪૯ પંકિત નંબર ૧૯ થી ૨૪માં આલેખ્યાં છે. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (બીજું અણુવ્રત) શ્રાવક બીજા અણુવ્રતમાં સ્થૂલ મૃષાવાદના પચ્ચકખાણ કરે છે. સ્થૂલ મૃષાવાદના પાંચ પ્રકાર છે. જેમ કે, ૧) વરકન્યા સંબંધી, ૨) પશુ સંબંધી, અે) ભૂમિ સંબંધી, ૪) થાપણ સંબંધી અને ૫) ખોટી સાક્ષી આપવા સંબંધી. આ પાંચ પ્રકારના સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કરે છે. મૃષાવાદ વિરમણ એટલે ખોટું બોલવાથી અટકવું. એ આ વ્રતનો ઉદ્દેશ છે. ખોટું બોલવાથી અટકવું એ વ્રતની નિષેધાત્મક બાજુ છે. અને સત્યની આરાધના કરવી એ વિધેયાત્મક બાજુ છે. સત્યની સાધના જીવનની સર્વશ્રેષ્ઠ સાધના છે. સત્યના પ્રભાવે વિદ્યાઓ તેમ જ મંત્ર સિધ્ધ થાય છે. સત્યની ભાવપૂર્વક આરાધના કરનાર
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy