SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - છેષભદેવ કેવળજ્ઞાન પામ્યા છે. અસંખ્ય દેવ અને માનવ તેમના કેવળજ્ઞાનને મહેસૂવ કરવા ઉપડયા છે. આપ મારી સાથે પુત્રની ઋદ્ધિ જેવા પધારે એમ કહી, મરૂદેવા માતાને હાથી ઉપર બેસાડી, ભરત મહારાજા ચતુરંગ સૈન્ય સહિત સમવસરણ તરફ ચાલ્યા. દૂરથી સથવસરણમાં રહેલ ઈંદ્રવજ દેખાવા લાગે. રત્નગઢની ત આકાશમાં ઝળહળતી દેખી, ભારત માતાને કહેલા લાગે, “હે માતા ! જુઓ આકાશમાંથી આ દે તમારા પુત્રને “ પહેલે જોઉં, હું પહેલો જોઉં” એમ કહી પધ પૂર્વક વેગથી દેડી રહ્યા છે. તમારા પુત્રને કેવળ જ્ઞાન થયું છે તેના મહત્સવ નિમિત્તે દેવતાઓ દેવ દુંદુભી વગાડી રહ્યા છે અને ગંધ ગીત ગાય છે સમવસરણની રચના થઈ છે. હે દેવિ ! એકવાર તમારા પુત્રની. ઋદ્ધિ જુઓ.” આ સાંબળી મરૂદેવા માતાને હર્ષના આંસુ આવવા લાગ્યાં, આનંદાશ્રુ વડે આંખના પડળ ધોવાઈ ગયાં અને પિતાના પુત્રની અતિશય સહિત તીર્થકર પણાની લક્ષ્મી પોતાની આંખોથી જોઈ અને તેમાં એકતાન થઈ ગયાં. તેમને લાગ્યું, “મેં પુત્રને શેક ફોગટ કર્યો. તે તે ત્રિભુવનસવામી થે છે. રાગદ્વેષ તજી તેણે કેવળ જ્ઞાન ઉપાર્જન કર્યું છે. હું કેવળ મેહમૂઢ બની. જગતમાં કોઈનું કોઈ નથી.” આમ વૈરાગ્ય ભાવનાની શ્રેણીમાં આગળ વધતાં કેવળજ્ઞાન પામ્યાં અને તેજ વખતે આયુષ્ય પૂર્ણ થવાથી મેક્ષે ગયાં. આ રીતે અવસર્પિણમાં મરૂદેવા માતા પ્રથમ સિદ્ધ થયા જાણી દેવતાઓએ તેમના શરીરને સત્કાર કરી, તેમના મૃતકને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યું. ચતુવિધ સંઘની સ્થાપના ભરત રાજ્ય ચિન્હોને ત્યાગ કરી, પગ પાળા ચાલી, ઉત્તર દિશાના સમવસરણમાં પ્રવેશ કર્યો. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ,
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy