SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ મુનિ સાથે તુરત ત્યાં આવ્યા. નમુચિને તેમણે ખૂબ શાનિતથી સમજાવ્યું. પણ નમુચિ એકને બે ન થયો. વિષ્ણુકુમારે નમુચિને પૂછયું, “ત્રણ ડગલાં જમીન તે આપીશ કે નહિ?” નમુચિએ જવાબ આયે, “હું તમને ત્રણ ડગલાં ભૂમિ આપું છું. પણ તે ભૂમિની બહાર જ રહેશે તેને તત્કાળ મારી નાખીશ.” વિષ્ણુકુમારે તથાસ્તુ' એમ કહી રવીકાર કર્યો નમુચિ વિષ્ણુકુમારને ત્રણ ડગલાં જમીન લઈ લેવાનું જણાવી ઊભો રહ્યો. વિષ્ણુકુમાર મુનિએ પિતાની કાયા લાખ જન વિકુવ. માને, દે અને સર્વ જગત ક્ષોભ પામ્યું. બે ડગલા માત્રમાં મુનિએ સર્વ જગત રેકી લીધું. પછી નમુચિને પૂછયું. “બોલે ત્રીજો પગ ક્યાં મૂકું” મુનિએ ત્રીજું ડગ નમુચિના મસ્તક ઉપર મૂક્યું. દેવો, ઈન્દ્ર મહાપદ્મ અને સકલસંધ મુનિને કેપ સંહરી જગતની રક્ષા કરવાનું વિનવી રહ્યા હતા. મહાપદ્દમે કહ્યું “આ મારો અપરાધ છે. મેં પૂરું ધ્યાન ન આપ્યું. આ મારા અને દુષ્ટ નમુચિના અપરાધથી બીજા ન દુઃખી થાય તેમ કરે” મુનિએ સંધની આજ્ઞા માથે ચડાવી પિતાનું શરીર હતું તેવું બનાવ્યું. ગુરુ પાસે આલોચના લીધી છેવટે કેવળજ્ઞાન પામી વિષ્ણુકુમાર મેક્ષે ગયા. ચક્રીનું મોક્ષગમન મહાપદ્મ ચકવતી આ બધા પ્રસંગો દેખી વૈરાગ્ય પામ્યો. તેણે છ ખંડ પૃથ્વી છોડી દીક્ષા લીધી. રૂડી રીતે ચારિત્ર પાળી, કેવળજ્ઞાન પામી, મેલે ગયે.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy