SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નો ઉત્પન્ન થયા તે રત્નોથી તેણે છ ખંડ સાધ્યા અને તાપસ આશ્રમમાં રહેલ મદના વળીને પરણું તેને સ્ત્રીરત્ન બનાવ્યું. સંપૂર્ણ ઋદ્ધિ સહિત મહાપદ્મ ચક્રવતી હસ્તિનાપુર આવ્યો. માતા પિતાના આનંદનો પાર રહ્યો નહિ. આ અરસામાં સુવ્રતાચાર્ય હસ્તિનાપુર પધાર્યા માતા પિતાએ તેમની પાસે દીક્ષા લેવાની ઈચ્છા પ્રદર્શિત કરી. વિષ્ણુકુમારને રાજ્ય આપવા માંડયું પણ તેણે રાજ્યને અરવીકાર કરી પિતાની સાથે સુતાચાર્ય પાસે દીક્ષા લીધી. પછી મહાપમને રાજ્યાભિષેક અને ચકી અભિષેક પણ થયો. મહામે પોતાની માતાનો મને રથ જૈનરથ કાઢી પૂરે કર્યો. પોત્તર રાજર્ષિ કેવળજ્ઞાન પામી મેલે ગયે. વિષ્ણુ કુમાર મુનિ ઉગ્ર તપશ્ચર્યાના બળે અનેક લબ્ધિઓ પામ્યા. આકાશ ગામિની લબ્ધિથી વિવિધ સ્થળે તીર્થ યાત્રા કરવા લાગ્યા. મહાપ પોતાના ચકીપણાના કાળમાં અનેક જિનમંદિર બંધાવ્યા અને ઘણા ધાર્મિક કાર્યો કર્યા. અદ્ભુત લબ્ધિ પ્રભાવથી વિષ્ણકુમારે નમુચિને કરે પરાભવ એક વખત સુત્રતાચાર્ય શિષ્યો. સહિત ફરીથી હસ્તિનાપુર આવ્યા નમુચિએ તેમને જોયા અને વેરનો બદલો લેવાની ઈચ્છા થઈ. તેણે રાજા પા મારે યજ્ઞ ચાલે ત્યાં સુધી રાજય મારી પાસે રહે તેવી વરદાન બદલ માગણી કરી, મહાપમે તે માગણી કબુલ કરી તેને રાજ્ય સોંપ્યું. યજ્ઞમાં આશીર્વાદ આપવા સર્વ ધર્મના આચાર્યો આવ્યા. માત્ર જૈન શ્વેતાબરી સાધુઓ ન આવ્યા. નમુચિને જોઈતું બહાનું મળી રહ્યું. તેણે તેમને કહ્યું, “રાજાનું અકલ્યાણ ઈચ્છનારાઓ તમે અહિંથી ચાલ્યા જાવ” સુત્રતાચાર્યે કહ્યું, “હાલ અમારે ચાતુર્માસ છે. ચોમાસા પછી અમે જઇશું” નમુચિએ ન માન્યું. તેણે મુનિઓને સાત દિવસની મહેતલ આપી સુવ્રતાચાર્યે ભરૂપર્વત પર રહેલ વિષ્ણુકુમાર પાસે એક મુનિ મેકલ્યા. વિષ્ણુકુમાર
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy