SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ યુદ્ધ પાયું. તેને મેટો થતાં નકશ્રી નામે રાજકન્યા સાથે પરણાવ્યું તેનાથી શતબાળ પુત્ર થયે. વજ યુદ્ધને ઉપસર્ગ એક વખત વાયુદ્ધ વસંતકીડા માટે ઉદ્યાનમાં ગયા હતા. ત્યાં કીડા કરતા હતા તેવામાં વિદ્યદદષ્ટ્ર નામે દેવ જે પૂર્વભવમાં દમિતારી રાજા હતો તેણે વેરભાવથી વજાયુદ્ધ ઉપર એક મોટો પર્વત નાખે, વાયુધે તે પર્વત મુષ્ટિ વડે પકડી તેના ચૂરા કરી નાખ્યા. તે વખતે કેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રના જિનેન્દ્રને નમી નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા જતા હતા. તેમણે વાયુદ્ધને જોયા, આ વાયુદ્ધ આ ભવમાં ચક્રવર્તી અને આવતા ભવમાં શ્રી શાતિનાથ નામે સાળમાં તીર્થકર થશે” એમ ઘારી ઈંદ્ર, તેમની પૂજા કરી, નંદીશ્વરદ્વીપે ગયે. ક્ષેમકર રાજાને કેવળજ્ઞાન ક્ષેમકર રાજાએ કાંતિક દેવતાની પ્રેરણાથી રાજયને ભાર વજા યુદ્ધને સંપી, વાર્ષિક દાન આપી, દીક્ષા લીધી. અનુક્રમે કેવળ-જ્ઞાન પામી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યો. વજાયુદ્ધની દીક્ષા અહીં વા યુદ્ધને આયુધ શાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું. ચકની પાછળ ફરી વજાયુધે છ ખંડ પૃથ્વી સાધી લીધી. એક દિવસ ક્ષેમકર પ્રભુ ચક્રીન ઉદ્યાનમાં સમો સર્યા. તેમની દેશના સાંભળી, વાયુધે રાજ્યને ભાર સહસ્ત્રા યુદ્ધને સોંપી દીક્ષા લીધી. -ત્યાંથી વિહાર કરી વિજયુદ્ધ મુનિ સિદ્ધિ પર્વત પર આવ્યા અને હું ઉપસર્ગો સહન કરીશ એવી બુદ્ધિથી વિરોચન નામના બે થંભ ઉપર વાર્ષિક પ્રતિમા ધારણ કરી.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy