SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ LO(OICE મોહમાં ફસી તેઓની આજ્ઞા એ જ ધર્મ છે એમ માનીને સંસારરસિક છે થઈ વિષયના કીડા બનતા અટકી જવું જોઈએ અને વિવેકી બની જાય છે સદ્ગુરુઓનું શરણ સ્વીકારતા શીખવું જોઈએ. એજ આ દૃષ્ટાંત શ્રવણનું સાચું ફળ છે. સુકોશલ રાજાએ ગ્રહણ કરેલી દીક્ષા આ પ્રસંગ ઉપરથી પણ જેઓ આજે શાસવદ્રોહીઓની પીઠ થાબડી રહ્યા છે. તેઓ ઘણું-ઘણું વિચારી શકે તેમ છે. પણ માન-પાનની લાલસામાં મરી રહેલાઓને એવું વિચારવાની ફુરસદ જ ક્યાં છે? પોતાના ભોગે પણ પુત્રને રાજ્ય ભોગવતો રાખવા માટે પ્રયત્ન કરી રહેલી માતાએ, પુત્રમોહને અંગે જ એક મુનિને નગર બહાર કઢાવવાનું પાપ આચરણ કર્યું. એ જ કારણે શ્રી જિનેશ્વરદેવના શાસનથી સુવાસિત એવા શ્રી સુકોશલ રાજાએ, સંસારની દૃષ્ટિએ માતા જેવી માતાનું મુખ પણ ન જોયું અને પૂછ્યા કે ગાડ્યા વિના ચાલી નીકળ્યા. ત્યારે આજે જેઓ દીક્ષિત થનારના નથી થતા બાપ કે નથી થતા કાકા, નથી થતા સ્નેહી કે નથી થતાં સંબંધી અને દિક્ષિત છે, થનારને નથી સહાય કરતા જીવતા કે નથી સહાય કરતા મરતાં, તે $ છતાંય દીક્ષિત થનારના માર્ગમાં એકાંતે કાંટા વેરવાનું જ ભયંકરમાં છે ભયંકર પાપ આચરી રહ્યા છે. સમગ્ર સુવિહિત સાધુ સંસ્થાને છે સતાવવાનું શેતાનીયત ભરેલું યંત્ર રચી રહ્યા છે. સન્માર્ગના રક્ષક અને ધર્મના ધોરી મહાપુરુષોને ઉતારી પાડવા માટે તદ્દન ખોટું તથા ઈતરોને પ્રભુ-ધર્મથી વિમુખ કરે એવું તદ્દન બનાવટી પ્રચારકાર્ય ૬. કરી રહ્યા છે, તેવાઓને પોતાની પાસે બેસાડવામાં ડહાપણ મનાવનારા, તેવાઓ પણ માત્ર પોતાને માને-પૂજે અને પ્રશંસે એ જ કારણે તેવાઓ પણ સારા છે, એમ સ્વમુખે જાહેર કરનારા અને અમુક વર્ગમાં તેવા ભયંકર પાપાત્માઓની કીર્તિ વધારનારા પોતાને સાધુ જ નહિ, પણ સૌથી મોટા ધર્માચાર્ય મનાવવાના કોડ રાખે, એ કેવું અને કેટલું શ્રાપરૂપ છે એ શું વિચારણીય નથી ? જાણે અમ્યક્ત્વ અને ચરનો વારસો જ હશે ?..૨
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy