SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સત૮. ભાગ-૨ દૂ .રામ-લક્ષમણને આથી એકદમ જે સુકોશલને સહદેવી માતા રાખવા માંગતી હતી, તે સુકોશલ રાજા પણ તે બનાવ પોતાની ધાવમાતાના મુખેથી સાંભળતાની સાથે જ, પોતાના પિતાની પાસે પહોચ્યાં અને પિતાની પાસે પહોંચીને વિરક્ત બનેલા શ્રીસુકોશલ રાજાએ અંજલિ જોડીને રાજધિ બનેલા પોતાના પિતાની પાસે વ્રતની એટલે દીક્ષાની યાચના કરી. માતા અને પુત્રનું દર્શત ભાગ્યવાનો ! વિચારો કે બહુલ સંસારી આત્માઓની 0 મનોદશા અને અલ્પ સંસારી આત્માઓની મનોદશામાં કેટલો ફરક હોય છે? ખરેખર, બહુલ સંસારી આત્માઓની મનોદશા જ્યારે ભયંકર હોય છે, ત્યારે અલ્પ સંસારી આત્માઓની મનોદશા ઘણી જ સુંદર હોય છે. પોતાની તીવ્ર સંસાર લાલસાના યોગે સહદેવીએ જ્યારે પ્રથમવાર પતિને મોક્ષમાર્ગના મુસાફર બનવામાં અંતરાય કરવાની કાર્યવાહી કરી અને બીજીવાર રાજર્ષિ બનેલા પતિદેવની ભયંકર આશાતના કરી ઘોર પાપકર્મનો બંધ કર્યો ત્યારે સુકોશલ રાજા કે ના આત્મા ઉપર સંસારની લાલસાએ તેવી સત્તા નહોતી જમાવી, તેણે પોતાના સંસારને સુસ્થિત બનાવવા ઇચ્છતી અને એ ઇચ્છાના યોગે દરેક રીતે પૂજ્ય એવા રાજર્ષિ મહામુનિની પણ ઘોર આશાતના કરનારી માતા એ માતા નથી પણ ભયંકર શત્રુની ગરજ સારનારી મહારાક્ષસી છે, એમ માનીને એવી ભયંકર માતાના મુખનું દર્શન પણ કર્યા વિના તેનો દૂરથી જ ત્યાગ કર્યો અને પોતાના આત્માનું સર્વ રીતે શ્રેય કરનાર એવા પિતામુનિનું શરણ સ્વીકાર્યું? અધમ આત્માઓની અને ઉત્તમ આત્માઓની મનોદશાનો ખ્યાલ લાવવા માટે આ માતા અને પુત્રનું દૃષ્ટાંત ઘણું જ સુંદર છે. આજના સંસારમાં આવી માતાઓના દર્શન સહજ છે, પણ આવા પુત્રનું દર્શન દુર્લભ છે. આ માતાના દૃષ્ટાંતથી આજની માતાઓએ મહારાક્ષસીનું રૂપ નહિ ધરતાં મહાદેવીનું રૂપ ધરતા શીખવું જોઈએ, અને આ પુત્રના દૃષ્ટાંતથી પુત્રોએ પણ માતાઓના
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy