SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અભિલાષાવાળા થયા, પણ એ અવસરે દીક્ષાની અભિલાષાવાળા છે શ્રી કીતિધર રાજાને તેમના મંત્રીઓએ કહ્યું કે “હે સ્વામિન્ ! પુત્ર વિનાના છે આપને વ્રતોનો સ્વીકાર કરવો એ યોગ્ય નથી, કારણકે વચ્ચપુ વ્રતમાન, ઉજાયેયં વસ્થર ? तत्प्रतीक्षस्व यावत्ते, स्वामिन्जुत्पद्यते सुतः ॥ પુત્ર ઉત્પન્ન થયા પહેલા જો આપ વ્રતને ભજનારા થશો તો આ પૃથ્વી કે નાથ વિનાની થઈ જશે. એથી હે સ્વામી! જ્યાં સુધી આપને પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી આપ રાહ જુઓ," અને મંત્રીઓની વિનંતીથી ततः कीर्तिधरस्यापि, तथैव गृहवासिनः । काले गच्छत्यभूत्पुत्रः, सहदेव्यां सुकोशल: ॥ મહારાજા શ્રી કીર્તિધર પણ તે જ રીતે એટલે કે પોતાના વૈરાગ્યવાસિત હદયના યોગે ક્યારે હું સંયમધર બનું એ જ એક ભાવનામાં રક્તપણે ગૃહવાસમાં રહ્યા અને અમુક કાળ ગયા પછી સહદેવી રાણીની કુક્ષિથી સુકોશલ નામનો પુત્ર થયો." | સ્વાર્થી આત્માની વિચિત્ર મનોદશા પણ તમે જાણો જ કે આ સ્વાર્થી દુનિયામાં રહેલા સ્વાથધ આત્માઓ આત્મહિતનાશક પૌદ્ગલિક સ્વાર્થમાં એવા રક્ત હોય છે કે એની સાધના કરવામાં તેઓ પોતાનો કે પારકાનો પરમ કલ્યાણસાધક જે આત્મિક સ્વાર્થ, તેને જોતાય નથી અને વિચારતાય છે નથી. ઉલટું એવા અનુપમ અને ઉપાદેય તથા ઉચ્ચ કોટિના સ્વાર્થનો ? વિધ્વંસ કરવામાં જ પ્રયત્નશીલ હોય છે. એ જ કારણે સુખની અર્થી એવી આખીય દુનિયા અમુક અપવાદને બાદ કરતા સુખ પામવાને બદલે કેવળ દુઃખમાં જ રીબાય છે. ખરેખર, જો દુનિયામાં એવા ભંયકર અને કૂટ પાપાત્માઓની વિદ્યમાનતા ન હોત તો દુનિયાની , આવી ભયંકર દુઃખમય દશા ન જ હોત, પણ એ બને જ કેમ કે આ દુઃખમય સંસારમાં એવા આત્માઓ અસ્તિત્વ ન જ ધરાવતા હોય ? 2, એવા આત્માઓ કેવા હોય છે ? એ જાણવા માટે મહારાજા છે શ્રી કીર્તિધરની ધર્મપત્ની ગણાતી સહદેવી ઠીક-ઠીક દૃષ્ટાંતરૂપ થઈ શકે તેમ છે. કારણકે તે જાણતી જ હતી કે વૈરાગ્યરંગમાં રમતા મારા : ૪૩ જાણે સમ્યક્ત્વ અને જે ચરો વારસો જ હશે ?...૨
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy