SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ -cી સંસારનું વિચિત્ર નાટક ભાગ્યવાનો ! વિચારો કે આ સંસારનું નાટક કેવું અને કેટલું વિચિત્ર છે ? કર્મપરવશ આત્માઓ આ સંસારમાં કેવી કેવી રીતે ભટકે છે એ ખૂબ વિચારવા જેવી વસ્તુ છે. આ શરણસહિત ૐ સંસારમાં નિરાધારપણે આત્માઓ પરિભ્રમણ કરે છે. વિષયકષાયને વશ પડેલા આત્માઓ ધર્મથી પરાભુખ થઈ નહિ કરવા યોગ્ય અનેક કાર્યો કરે છે અને એના પરિણામે ચિરકાળ સુધી આ સંસારરૂપ ભયંકર અટવીમાં એ બિચારાઓ અનેક પ્રકારની યાતનાઓને સહન ૨૪ો કરતા આથડ્યા કરે છે. પોતાની આવી દુર્દશાનો જ્યારે ભવ્ય આત્માને ખ્યાલ આવે છે. ત્યારે તે આત્મા અનાદિકાળથી સંસારના રંગમાં રક્ત હોવા છતાં એકદમ ચોંકી ઉઠે છે અને પરિણામે એ આત્માઓને કારમાં સંસાર તરફ અવશ્ય ધૃણા ઉત્પન્ન થાય છે જ્યારે સામાન્ય ભવ્ય આત્માને પણ જેથી સંસાર ઉપર ધૃણા થાય તેવી વસ્તુના શ્રવણથી જેની ભવ્યતા ખૂબ જ ખીલી ઉઠી છે. તેવા શ્રી દશરથ મહારાજાને એ કારમા સંસાર ઉપર ઘણા આવે એમાં તો આશ્ચર્ય જ શું છે? રામ-લક્ષ્મણને
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy