SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સત.. ભાગ-૨ રિામ-લક્ષ્મણને तावत्पूज्यैरिह स्थेयं, कुर्वाणैर्मय्यनुग्रहम् ।। “સંસારથી ઉદ્વિગ્ન થયેલો હું આપની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. તે કારણથી હે પ્રભો ! જ્યાં સુધીમાં હું રાજાને પૂછીને અહીં આવું છું ત્યાં સુધી મારા ઉપર અનુગ્રહ કરતા એવા આપ પૂજ્યોને અહીં રહેવું એ યોગ્ય છે." આ પ્રમાણે કહેતા યુવરાજ શ્રી કંડરીકને પ્રભુશાસનના રહસ્યવેદી તે સ્થવિર પરમમહર્ષિઓએ ફરમાવ્યું કે, પ્રતિવર્ધા મા થાત્ત્વમ્' આ કથન ઉપરથી સમજી શકાશે કે પ્રભુશાસનના રહસ્યવેદી ૧૦ પરમમહર્ષિઓની વિરક્ત આત્મા પ્રત્યે કેવા પ્રકારની સલાહ હોઈ શકે છે? ઉપકારી પરમમહર્ષિઓ પૂછવા જનાર આત્માને પણ એક જ સલાહ આપે છે કે જેને પૂછવા જાય છે તેનો પ્રતિબંધ ન કરવો.' કારણકે આનાથી વિપરીત સલાહ તો વિરક્ત આત્માના વિરાગનો નાશ કરનારી જ નિવડે છે અને એવી વિરાગનાશક સલાહ વૈરાગ્યના માર્ગે જ વિહરી રહેલા પરમમહર્ષિઓ કયા હદયથી આપી શકે ? અર્થાત્ ન જ આપી શકે. એ વસ્તુ વિચારક માત્ર સમજી શકે તેમ છે. માત્ર વિચારક વિવેકહીન ન હોવો જોઈએ. કારણકે વિવેકહીન વિચારક કોઈપણ સારી વસ્તુના સુંદર મર્મને સમજી શકતો જ નથી. વિરક્ત કંડરીકનું સ્પષ્ટ કથન ગુરુદેવોની ઉત્તમ અને સન્માર્ગની પ્રવૃત્તિ માટે સારામાં સારી રીતની સહાય સમર્પનાર સલાહ પામીને પોતાના વડીલ બંધુ કે જે રાજા છે તેમની પાસે જઈને શ્રી કંડરીકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, मया गुरोजिनवचो, लब्धमब्धेरिवामृतम् । आरोग्यमिव वैराग्यं, तत्प्रभावान्ममाभवत् ॥ तयुष्माभिरनुज्ञातो, व्रतमाढातुमुत्सहे । नृजन्म हारयेत्को हि, प्रमादेन धुरत्नवत् ॥ “સમુદ્રમાં જેમ અમૃતની પ્રાપ્તિ થાય તેમ મને ગુરુદેવ પાસેથી શ્રી હું જિનવચનની પ્રાપ્તિ થઈ છે. અને અમૃતના પ્રભાવથી જેમ આરોગ્યની પ્રાપ્તિ થાય તેમ મને શ્રી જિનવચનના પ્રભાવથી વૈરાગ્ય થયો છે, તે કારણથી આપ
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy