SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મહાબલકુમારને ચંદ્રાવતિમાં ગુપ્તવાસ છ૭ માટે અવસર પ્રસંગે આપસમાં તેઓ ઉત્તમ વસ્તુઓનાં ભેટણ મોકલતા રહેતા અને કાર્ય પ્રસંગે એક બીજાને મદદ પણ કરતા હતા. એક દિવસ કેટલીક ઉતમ વસ્તુઓનું ભરણું લઈ પૃથ્વીસ્થાનપુરથી રાજપુરૂષે ચંદ્રાવતીમાં આવી પહોંચ્યા હતાં. મહારાજા વીરવળ સભા વચ્ચે સિંહાસન પર બીરા હતે રાણી ચંપકમાલા ડાબી બાજુએ બેઠી હતી. મલયકેતુકુમાર પણ જમણી બાજુએ બેઠો હતો. સામંત પ્રધાન વિગેરે રાજપુરૂથી સભા ભરપુર હતી. એ અવસરે સુરપાળ રાજાના અમાત્યાદિ રાજપુરૂષ સભામાં આવ્યા અને રાજાને નમસ્કાર કરી પાસે ભેટયું મૂકી ઉભા રહયા. રાજાએ બહુમાનપૂર્વક ભેટશું સ્વીકારી પ્રધાન આદિ સર્વને બેસવાને આસન આપ્યાં. મારા પરમ મિત્ર સુરપાળ રાજાને, તેના રાજ્યને અને અંતે ઉર આદિ સર્વ પરિવારને કુશળ છે?” વીરધવળ રાજાએ પ્રશ્ન કર્યો, પ્રધાને હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. “મહારાજા ! ધર્મના પ્રસાદથી અને આપ જેવા મિત્ર રાજાની મીઠી નજરથી રાજ્યમાં સર્વત્ર આનંદ છે. મહારાજા સુરપાળે આપના સર્વ પરિવારની કુશળતા ઈચ્છી છે અને પુછાવી પણ છે.” પ્રધાનની સાથે આવેલા માણસે તરફ રાજાએ નજર કરી. તે પ્રધાનની પાછળ નજીકમાં બેઠેલો મહા તેજસ્વી,
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy