SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ er મલયસુંદરી ચરિત્ર તેઓ પોતાના સંતાનના ખરા શત્રુઓ છે. પુત્ર પુત્રીએ અવિવેકી થઈ વિનયહીન બની અવળે રસ્તે દોરાય, અકાર્યો કરી અધોગતિમાં જાય, ધાર્મિક તેમજ વ્યવહારીક માથી વિમુખ થાય, તેનું મૂળ કારણ ખળપણમાં વિદ્યાના જે સંસ્કારા માતા પિતા તરફથી પડવા જોઈ એ તે નથી પડતા ઃ તેજ છે. આ બાળકાની અજ્ઞાનતાનાં કડવાં છે તે નિર્ભાગી માતા પિતાઓને પણ રાખવાં પડે છે. કુંટુબમાં અને ઘરમાં નિરંતર કલેશ થાય, બન્ને સગાભાઈ એ જુદા રહે, ધન માટે શત્રુની માફ્ક આપસમાં લડે, માતપિતાઓનું અપમાન થાય, એટલુ' જ નહિ ભાજનને માટે માતા પિતાના વારાઓ પણ કરે અને છેવટની જીંદગી મહાત્ કષ્ટથી દુઃખમાંજ પૂર્ણ કરે આનુ કાઈ પણ ખરૂં કારણ હાય તા એજ છે કે તે ખાળકેાને બાલ્યાવસ્થામાંથી મા આપા તરફથી મનુષ્યપણાને લાયકની કેળવણી આપવી જોઇએ તે આપવામાં નથી આવી, માટે દરેક બાળકને બાલ્યાવસ્થામાંજ વિદ્યા આપી કેળવવા જોઈએ આવા ઉત્તમ વિચારેાથી બાળકાના હિતેષી રાજાએ ઉત્તમગુણપાત્ર ઉપાધ્યાયને મેલાવીને કેળવવાને અર્થે કુમાર તથા કુમારી સાંપ્યા. બુદ્ધિમાન્ રાજકુમાર અને રાજકુમારીએ પૂર્વ ભણેલ પાછું યાદ કરતાં હાય તેમ, ઘણા ઘેાડા વખતમાં સ કળા અને વિદ્યા ગ્રહણ કરી.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy