________________
રાજાની હઠ અને પ્રજાને વિલાપ સર્વ ત્યાગ કર્યો હોય, તેમાં આશ્ચર્ય શાનું? “હું કુળદીપક પુત્ર ! દવરૂપ વાયુએ તને તત્કાળ બુઝાવી નાખ્યો. તારા સિવાય અમે દુઃખરૂપ અંધકારમાં ગોથાં ખાતાં, આપદાઓના ખાડામાં પડીશું. હા !હા! આજે અમારા વંશને ઉચ્છેદ થયે. અરે અમારી ચિંતા કોણ કરશે? આ પ્રમાણે કુળ વૃદ્ધા સ્ત્રીઓ વારંવાર વિલાપ કરતી હતી
“રાથની ધુરા વહન કરનારા અને બુદ્ધિમાનામાં ખપતા અમને ધિક્કાર થાઓ અરે ! આજે અમારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ. કોઈપણ, બુદ્ધિ પ્રયોગથી અમે રાજાનું રક્ષણ કરી ન શક્યા.” આ પ્રમાણે વિચાર કરતું અમાત્યમંડળ ઉભું ઉભું ઝરતું હતું. '
હે પ્રજા પાળ! હે કામની માફક મનહર મહારાજા હવે અમે તને ક્યાં જોઈ શું? ” આ પ્રમાણે કહી નગરની નારીઓ વારંવાર રૂદન કરતી હતી."
હે દેવ ! પુત્રની માફક પાલન કરેલી આ પ્રજા હવે રીરની માફક રોળાશે ? ”રાજમાર્ગે ચાલનાર લોકે આ પ્રમાણે રાજાને સંભાળી રહ્યાં છે.
હે રાજા ! માળી જેમ વૃક્ષને પાણી સિંચી સિંચીને વૃદ્ધિ પમાડે છે. તે તમારા પ્રસાદ જળે કરી આ જન્મથી વૃદ્ધિ પામેલાં અમારે, તારા સિવાય કે ઉદ્ધાર કરશે ? ” યાચક લોકો રાજા આગળ બેલી રહ્યા છે.
- હે નરેન્દ્ર ! દૌર્યતા, શુરતાગંભીરતા, ઉદાસ્તા, સત્યતા, દાક્ષિણ્યતા, ઉપકાર બુદ્ધિ અને કરૂણાદિ ઉત્તમ
બારીમ પુરૂ