________________
આ
જગત શું છે ?
સ્થિર રહેવામાં તે મદદ કરે છે અને તેથી જ સામાન્ય મનુષ્ય તેને જાણી શકે છે કે અધર્માસ્તિકાય એક દ્રવ્ય પદાર્થ છે. અથવા તે આ બંને પદાર્થોની હયાતીના નિર્ણય માટે અલ્પજ્ઞને તેવા આપ્ત–પ્રમાણિક સત્ય વતા, પૂર્ણ જ્ઞાનીના વચને ઉપર શ્રદ્ધા રાખવા સિવાય છૂટકે નથી.
આ બે પદાર્થ છે તેમ ચર્મ નેત્રવાળા મનુષ્ય માને કે ન માને છતાં તે પદાર્થ પિતાપિતાનું કાર્ય બજાવે જાય છે. એટલે તેને સઈહવાથી કે ન સહવાથી તમને તેના તરફથી કાંઈ નુકસાન કે ફાયદો થવાને નથી. છતાં વસ્તુ વિદ્યમાન હોય તે વિદ્યમાન છે તેમ જ્ઞાનીએમ કહેવું જ જોઈએ. દુનિયાના છ માને કે ન માને છતાં જ્ઞાનીઓએ સત્ય પ્રકાશવું જ જોઈએ.
આકાશ અરૂપી દ્રવ્ય છે. આકાશમાં રંગ, બેરંગી આકાર દેખાય છે તે આકાશ નથી. મેઘના વાદળ તે આકાશ નથી. ઈન્દ્રધનુષ્ય અને ચંદ્ર, સૂર્યાદિના પ્રકાશ તે આકાશમાં દેખાતી કાળીમાં કાળાશ તે આકાશ નથી. તે તે આકાશમાં રહેલી રૂપી પુગળ દ્રવ્યની આકૃતિઓ છે. કેવળ પિલાણને “આકાશ' એવી સંજ્ઞા આપવામાં આવે છે. કેવળ પિલાણુરૂપ આકાશમાં શબ્દ, રૂપ રસ, ગંધ કે સ્પર્શ કાંઈ નથી, પિલાણમાં પણ સૂમ પરમાણુઓ-જેને મનુષ્યો જોઈ શકે છે તેવા સ્કંધ જે દેખાય છે, તે પણ પદ્ગલ છે; પણ આકાશ શબ્દની