SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ મયસુંદરી ચરિત્ર ચેતવાની જરૂર છે. તારા નિર્મળ કુળને કલંક નહિ લગાડ, તારો વંશ વિશાળ છે. કુળ વિમળ છે. તું ગુણવાન છે. માટે આવું અકાર્ય કરવું તે તને કોઈ પણ રીતે યોગ્ય નથી. આ પ્રમાણે શામ અને ભેદના પ્રયોગથી તે સતીએ રાજાને ઘણો બાધ આપે, પણ પથ્થર ઉપર પાણી, કામાંધ રાજા પિતાના અભિપ્રાયથી પાછો ન હઠ કે આ સ્ત્રીનું શીયળ મારે બળાત્કારે પણ ખંડિત કરવું તેના શીયળની શકિતથી ભલે તે મને બાળીને ભસ્મીભૂત કરી નાંખે ” - આ પ્રમાણે વિચાર કરતે કંદર્પ રાજા તે અવસરે તે મલય સુંદરી પાસેથી નીકળી પિતાના મહેલમાં આવ્યું અને રાજકાર્યમાં કામે લાગ્યા. પણ તે સ્ત્રીનું રૂપ, તેની લાવણ્યતા અને તેના હૃદયવેધક કઠેર શબદો તે રાજાના હૃદયમાં શલ્યની માફક સાલવા લાગ્યા. રાજાના' જવા પછી મલયસુંદરી પછી ધર્મધ્યાન કરવામાં સાવધાન થઈ. તેનું મુખકમળ પ્લાન થઈ આવ્યું તથાપિ શીયળ રક્ષણાર્થે મરવાને પણ તત્પર થઈ રહી. " રાજા વિચારમાં પડયે કે સ્ત્રીઓને સ્વાધીન કરવામાં બળનું કામ નથી, કેઈ પણ સ્ત્રી તેના ખરા અંતકરણ પૂર્વક બળથી રવાધીન થઈ નથી, પણ પ્રેમ, વિશ્વાસ, વિનય, આશા, અને લાગણીથી સ્વાધીન થઈ શકે છે. માટે તેને સ્વાધીન કરવા માટે તેને મીઠાં વચનથી
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy