SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ મયસુંદરી ચરિત્ર કુમારને મ તો ૯ નહોતા. કેવળ બંધન અને ઉંધે મસ્તકે લટક્વાથી થયેલું દુઃખ તેજ હતું. તે સાત થતાં કુમારમાં હળવે હળવે સ્વસ્થતા વિશેષ આવવા માંડી. દુઃખથી મુક્ત થયે. બેઠે થઈ ચારે બાજુ દષ્ટિ ફેરવવા લાગે વિશેષ પ્રકારે નવોઢા રત્રી તરફ દૃષ્ટિ કરી, કાંઈક નવીન અદ્ભુત શાંતિ અનુભવતો હોય તેમ જણાય રાજા રાણીના આગ્રહથી કુમારે પિતાને વૃત્તાંત. કહેવો શરુ કર્યો. મહેલમાં મધ્યરાત્રિએ એક હાથ જોવામાં આવે, ત્યાથી લઈ મધ્યરાત્રિએ કદલીવનમાં પ્રિયા સહિત અ વી રહ્યો અને એક સ્ત્રીના રૂદનને શબ્દ સાંભળી, મલાસુંદરીને ત્યાંજ મૂકી હું તે શબ્દાનુસરે આગળ ગયે; તે સર્વ વૃત્તાંત કહી સંભળાવી આગળ જણાવ્યું કે – રૂદન કરતી સ્ત્રીના શબ્દાનુસાર આગળ ચાલતાં. વનમાં મંત્રસાધન માટે સર્વ પ્રકારની તૈયારી કરી બેઠેલે એક યેગી મારા જેવામાં આવ્યું. મને દેખી તેણે પિતાનું સવ કામ પડતું મૂક્યું. અભ્યથાનાદિ વિનય કરી, મારી પાસે યાચના કરી કે, કુમાર ! તું પરોપકાર કરવામાં પ્રવિણ છે. મારા પુર્યોદયથી જ તું અહીં અકસ્માત આવી ચડે છે, મે એક મહામંત્ર સાધવાનો પ્રારંભ કર્યો છે. તે મંત્ર પૂર્ણ થતાં-દ્ધિ થતાં સુવર્ણ પુરૂષ સિદ્ધ થશે. મેં સર્વ સામગ્રી તૈયાર કરીને રાખી છે, પણ ઉત્તમ સાધકના અભાવે સર્વ અટકી પડયું છે માટે એક ક્ષણમાત્ર મારી પાસે રહી તું ઉત્તર સાધક થા. તારી સહાયથી મારે. મંત્ર તત્કાળ સિદ્ધ થશે.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy