________________
૧૮૮
મલયસુંદરી ત્રિ રાણી સન્મુખ દષ્ટિ કરી રાજાએ કહ્યું. દેવી ! લક્ષ્મી. પંજહાર સહિત આ કન્યાને હમણાં તું તારી પાસે જ રાખ. પ્રતિજ્ઞા કરેલ હાર નિયમિત દિવસમાં આવી મળે છે. તે સત્ય પ્રતિજ્ઞાવાળે કુમાર, સુખી કે દુઃખી કે ઈપણ સ્થળે હશે જ. માટે મરવાને અધ્યવસાય તમારે મૂકી જ દેવે વળી હાર માટે પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ચુકી છે,
પદ્માવતી–સ્વામીનાથ ! પુત્ર રત્ન સિવાય એકલા હારની પ્રાપ્તિથી શું મને સંતોષ થઈ શકે ખરો ? પુત્ર સિવાય હું જીવિતવ્ય કેમ ધારી શકું? મારી મૂઢતાને ધિક્કાર છે. કેવી અજ્ઞાનદશા ! એક હાર માટે પુત્રરત્નને મેં મહાન આપવામાં ઉતાર્યો. ખરેખર પાષાણ માટે રત્નને, પાણી માટે અમૃતનો અને લીબડા માટે કલ્પવૃક્ષને જેમ કેઈ અજ્ઞાની નાશ કરે, તેમ મેં પુત્રના નાશ ! નિર્ભાગ્ય શિરોમણી હું હવે જીવીને શું કરું? મને રજા આપ ભૂગુપત કરી આત્માને શાંતિ આપે.
રાજા–દેવી મેં તને પહેલેથી જ ના પાડી હતી કે આ માટે કાલે પ્રભાત સુધી કાંઈ વિચાર ન કરે. લક્ષ્મીપુંજાર પુર્યોદયથી આવી મળે છે, તે કુમાર પણ આવી મળશે.
આ પ્રમાણે રાણીને ધીરજ આપી, રાજા મહેલમાં આ લોકે પણ વિસ્મય પામતા પિતાને ઠેકાણે ગયા.
મલયસુંદરી પણ રાણી સાથે મહેલમાં આવી ભેજનાદિ કૃત્ય કરી તે દિવસ પૂરણ કર્યો.