SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : જે કાંઈ અતિદુર્લભ વસ્તુ આ લોકમાં હું ચિંતવન કરું છું, વરમિત્રના પ્રસાદથી મને સર્વ પ્રાપ્ત થાય છે. IIટll. શ્લોક : मया पुण्यैरवाप्तोऽयमयमेव च मे सुहृत् । एष एव जगद्वन्द्यो, यथेष्टफलदायकः ।।९।। શ્લોકાર્ચ - મારા પુણ્ય વડે કરીને આ મૃષાવાદ, પ્રાપ્ત થયો છે. આ જ મારો મિત્ર છે. આ જ યથેષ્ટ ફલને દેનારો જગતગંધ છે પોતાના ઈચ્છિત ફલને દેનારો મૃષાવાદ જગત માટે સેવવા યોગ્ય છે. IIII. શ્લોક : ततोऽगृहीतसङ्केते! मया मोहहतात्मना । कुविकल्पैर्मनस्तत्र, मृषावादे प्रतिष्ठितम् ।।१०।। શ્લોકાર્થ : તેથી હે અગૃહીતસંકેતા! મોહથી હણાયેલા સ્વરૂપવાળા મારા વડે=અનુસુંદર ચક્રવર્તીના જીવ રિપુદારણ વડે, તે મૃષાવાદમાં કુવિકલ્પોથી મન પ્રતિષ્ઠિત કરાયું. ૧oll. શ્લોક : तद्वशेन च येऽनाः , संपद्यन्तेऽतिदारुणाः । पुण्योदयप्रभावेण, ते यान्ति विलयं तदा ।।११।। શ્લોકાર્થ : અને તેના વશથી મૃષાવાદના વિષયમાં કુવિકલ્પો કરાયા તેના વશથી, જે અતિદારુણ અનર્થો થાય છે તે પુણ્યોદયના પ્રભાવથી ત્યારે વિલયને પામે છે. ||૧૧|| શ્લોક : अहं तु तन्न जाने स्म, महामोहवशं गतः । ततस्तत्र मृषावादे, पश्यामि गुणमालिकाम् ।।१२।। શ્લોકાર્થ : વળી, મહામોહને વશ થયેલો હું તેને જાણતો ન હતો, તેથી મહામોહને કારણે મૃષાવાદમાં અનર્થને જાણતો ન હતો તેથી, તે મૃષાવાદમાં ગુણના સમૂહને હું જોઉં છું. II૧ાા
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy