SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૨૬૯ તત્પર, શ્રવણના ઉત્સવને કરનારાં ગીતો ગવાય છે. પરિશુદ્ધ ગંભીર ધ્વનિથી સર્વજ્ઞપ્રણીત પ્રવચનની ઉન્નતિને કરનારા, રાગાદિ વિષધરના પરમ મંત્રરૂપ ભાવસાર મહાસ્તોત્રો ગવાય છે, વિવિધ પ્રકારના કરણના=ઈન્દ્રિયોના, તથા અંગના હાર મનોહર=અંગના મરોડથી મનોહર, પ્રમોદના અતિરેકને સૂચક મહાનૃત્યો પ્રવર્તે છે. આ પ્રકારે મોટા વિમર્દનથી=મોટા મહોત્સવથી, કનકગિરિના શિખરની ઉપર સુર-અસુરની જેમ ભગવાનનો અભિષેક મંગલ પ્રારંભ કરાયે છતે, સવિશેષ ભુવનનાથના બિબો પૂજાયે છતે, સંપૂર્ણ કૃત્યવિધાનો કરાયે છતે, સાધુ લોકોને વંદન કરાયે છતે, મહાદાન અપાયે છતે, વિશેષથી સાધર્મિકનો સન્માન કરાયું છd, મનીષીને પોતાના ઘરમાં લઈ જવા માટે રાજા વડે હાથી તૈયાર કરાવાયો. ત્યાં=ગજ ઉપર, મનીષી બેસાડાયો. આનો=મનીષીનો, સ્વયં છત્રધારક રાજા રહ્યો. અને હર્ષના અતિરેકથી રોમાંચિત શરીરવાળા એવા રાજા વડે મોટા શબ્દથી ઘોષિત કરાયું. શું ઘોષિત કરાયું ? તે “યત'થી બતાવે છે – હે સામતો ! હે મંત્રીમહત્તમો તમે સાંભળો. नृपकृतघोषणा શ્લોક : विभूतिरत्र संसारे, नरस्य ननु तत्त्वतः । सत्त्वमेवाविगानेन, प्रसिद्ध सर्ववेदिनाम् ।।१।। રાજા દ્વારા કરાયેલ ઘોષણા શ્લોકાર્થ : આ સંસારમાં નરની વિભૂતિ તત્ત્વથી, અવિનાનથી સર્વને સંમતપણાથી, સત્ત્વ જ સર્વવેદીઓને પ્રસિદ્ધ છે. IIII શ્લોક : ततो यस्याधिकं सत्त्वं, नरस्येह प्रकाशते । स शेषनरवर्गस्य, प्रभुत्वं कर्तुमर्हति ।।२।। શ્લોકાર્ચ - તેથી અહીં=સંસારમાં, જે મનુષ્યનું અધિક સર્વ પ્રકાશે છે તે પુરુષ શેષમનુષ્યવર્ગનું પ્રભુત્વ કરવા માટે યોગ્ય છેઃશેષ મનુષ્યોનું પ્રભુપણું સ્વીકારવા યોગ્ય છે. શા શ્લોક : एवं च स्थितेसत्त्वोत्कर्षस्य माहात्म्यं, यदत्रास्य मनीषिणः । तदृष्टमेव युष्माभिः, सर्वैरेव परिस्फुटम् ।।३।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy