________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
स्वर्गोऽयं परमार्थोऽयं, लब्धोऽयं सुखसागरः ।
अस्माभिरिति मन्यन्ते, विपर्यासवशं गताः । । १५९ ।।
શ્લોકાર્થ :
આ સ્વર્ગ છે=સ્પર્શનેન્દ્રિયજન્ય સુખ સ્વર્ગ છે. આ પરમાર્થ છે, આ સુખસાગર અમારા વડે પ્રાપ્ત થયો, એ પ્રકારે વિપર્યાસને વશ પામેલા માને છે=જઘન્ય જીવો માને છે. II૧૫૯
શ્લોક :
ततो हार्दं तमस्तेषां प्रविसर्पति सर्वतः ।
विवेकशोषकाश्चित्ते, वर्धन्ते रागरश्मयः ।। १६०।।
શ્લોકાર્થ
શ્લોકાર્થ ઃ
તેથી=જઘન્ય નરો પૂર્વમાં કહ્યું તેવી વિપર્યસ્ત બુદ્ધિવાળા છે તેથી, તેઓના હૃદયસંબંધી અંધકાર સર્વથી વિસ્તાર પામે છે. વિવેકના શોષક રાગરૂપી કિરણો વૃદ્ધિ પામે છે અર્થાત્ સતત રાગની વૃદ્ધિને કારણે વિવેકશક્તિ અત્યંત નષ્ટ, નષ્ટતર થાય છે. I૧૬૦ના
શ્લોક ઃ
શ્લોકાર્થ
તેથી નષ્ટ સત્પથના સદ્ભાવવાળા=જેના ચિત્તમાં આત્માનો હિતકારી એવો સત્પથનો સદ્ભાવ નષ્ટ થયો છે એવા, બુદ્ધિના આંધ્યરૂપ સંતાપથી અંધીભૂત થયેલા બુદ્ધિવાળા, અનાર્યકાર્યોને કરતા, તેના કાર્યોથી તે=જઘન્ય નરો, કોના વડે વારણ કરાય છે ? અર્થાત્ કોઈનાથી વારણ કરી શકાતા નથી. ||૧૬૧।।
શ્લોક ઃ
:
૨૨૯
नष्टसत्पथसद्भावा, ध्यांध्यन्धीभूतबुद्धयः ।
कुर्वन्तोऽनार्यकार्याणि, वार्यन्ते केन ते ततः ? ।। १६१ ।।
:
धर्मलोकविरुद्धानि, निन्दितानि पृथग्जनैः ।
कार्याण्याचरतां लोकः, शत्रुभावं प्रपद्यते । । १६२ ।।
સામાન્યજનોથી નિંદિત એવા ધર્મ વિરુદ્ધ અને લોક વિરુદ્ધ કાર્યોને આચરણ કરનારાઓ ઉપર લોક શત્રુભાવને પામે છે. II૧૬૨।।