SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર છું.' ત્યારે તે બંનેએ હ્યું: ‘ આપ જો આપતા જ હોવ તો અમારે બીજી કઈ વસ્તુની જરૂર નથી, આપની કૃપાથી અમારી પાસે બધું જ છે. પર`તુ એક માત્ર રાંધનારી નથી. તે। કૃપા કરીને રાંધવા માટે આપની પુત્રી આપો. અમે તે ગામે ગામ અને દેશા દેશ ફરનારા છીએ. તા તમારી કીર્તિને જગતમાં ફેલાવીશું' કે કિમકુમાર રાજા જેવા દાતા પુરૂષ જગતમાં દુÖભ છે.' ૧૬૪ ચંડાલાની વાણી સાંભળીને ક્રોધથી લાલપીળા થઇ ગયેલા કિમકુમારે તે બંનેને નગરમાંથી બહાર કઢાવી મૂકયા. નગરની બહાર રહેલા પ્રદ્યુમ્ને શાંખને કહ્યું :- ‘ હવે આપણે શું કરશું ? કઈ ક તા પ્રયત્ન કરવા જ પડશે. જો મામાની સાથે સ'ગ્રામ કરીએ તેા ઘેર બેઠેલી માતા રિકમણી દુ:ખી થાય. અને જો યુદ્ધ નથી કરતા તા કન્યા મળે નહી. છતાં ગમે તેમ કરીને પણ માતાની પાસે બોલેલુ વચન મારે પાળવું જ પડશે. કોઇ પણ પ્રયત્ન કરીને તેની પુત્રી સાથે પાણિ ગ્રહણ કરીશ જ.' આ પ્રમાણે બંને ભાઇએ પરસ્પર વિચાર કરતા રહ્યા અને ચાંદનીથી સુશાભિત રાત્રિ પડી ગઈ. અંતે વિચારીને પ્રદ્યુમ્ન વિદ્યાપ્રયાગથી રાત્રિમાં રૂકિમકુમારની પુત્રી વૈદભી ના મહેલમાં ગયા. સુખનિદ્રા કરતી પાતાના પ્રત્યે અનુરાગણી એવી રાજકન્યાને તેને જગાડી. એકદમ ઉઠીને પ્રદ્યુમ્નને જોતાં જ આશ્ચય પામી અને મેલી:--‘તમે કેણુ છે ? ’ ત્યારે પ્રદ્યુમ્ને તેને રૂકિમણીએ આપેલા પત્ર આપ્યા. પત્ર વાંચીને પ્રદ્યુમ્ન સામુ જોઇ રહી. પ્રદ્યુમ્ને કહ્યું:- હું સુંદર સુખવાળી ! આ પત્રમાં જે નામ લખ્યું છે તે જ પ્રદ્યુમ્ન હું છું.’ તેણીએ કહ્યું :– ‘ હું શું કરૂ ́ ? ? પ્રદ્યુમ્ન કહેઃ– ‘જો તારી ઇચ્છા હોય તા હમણાં જ અગ્નિદેવની સાક્ષીએ આપણે ગાંધવ વિવાહ કરીએ.' રાજકન્યાએ હપૂવ ક અનુમતિ આપી. ત્યાં રાત્રિમાં જ અનએ ગાંધવ વિવાહ કરી પ્રેમપૂર્ણાંક રતિક્રીડા કરી. શેષ રાત્રિ બાકી રહી ત્યારે પ્રદ્યુમ્ને કહ્યું:-‘ હમણાં હું શાંબ પાસે જાઉ. છું. તું જરાયે ડરીશ નહી. મે તારા શરીર ઉપર * રક્ષસહસ્ત્રજિત' નામની વિદ્યા મૂકી છે. એટલે તારા શરીરની કેાઈ ચિંતા કરીશ નહી. તને કોઇ કઈ પણ કરી શકશે નહી. તારા માતા પિતા પૂછે તા તુ` કેાઈ જવાબ આપીશ નહી. મૌન ધરીને રહેજે.’ આ પ્રમાણે વૈદભીને સૂચના આપીને પ્રદ્યુમ્ન ત્યાંથી આકાશમાર્ગે' શાંખકુમાર પાસે આવી ગયા. રાજકુમારી પણ પ્રદ્યુમ્નના આદેશને સ્વીકારી, સુખપૂર્વક નિદ્રાધીન બની ગઇ. આખી રાત્રિના ઉજાગરાથી સવાર પડવા છતાં ઉઠી નહી.. ત્યારે તેની પરિચારિકા તેને જગાડવા આવી. હાથમાં કંકણ, મી`ઢળ આદિ શરીર પર વિવાહનાં ચિહ્ના જોઇને પરિચારિકા આશ્ચયમાં પડી ગઈ. રાજકન્યાને ઉઠાડવા માટે પ્રયત્ન કર્યો છતાં ઉઠી નહીં, ત્યારે પરિચારિકાએ તેના માતાપિતા પાસે જઈ ને બધી વાત કરી. સાંભળીને તરત જ માતા પિતા ત્યાં આવ્યા. વિવાહિત થયેલી પેાતાની કન્યાને જોઈ ને પૂછ્યું. વારવાર આગ્રહ પૂર્વક પૂછ્યું. છતાં રાજ કન્યાએ કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા નહી. ત્યારે રૂકિમકુમાર વિચારે છે કે ‘અરે, આ હેાકરી મારા ફૂલને કલકિત કરનારી નીકળી. મેં પરણાવી નહી, એટલે પાપિણીએ રાત્રિમાં કોઇની સાથે આવું અકાર્ય કર્યુ.. અરેરે, મારી પણ કેટલી મૂઢતા ? પેલા ચંડાલપુત્રાએ માગણી કરી છતાં મેં ના આપી. ત્યારે આપી હોત ! મારૂ વચન પણ રહેત, અને લેાકેામાં મારો યશ ફેલાત. પર`તુ મેં મૂર્ખાએ એને દુ:ખ ના થાય, એના સુખને માટે ના આપી. ખેર, હજુ કંઇ મગડી ગયુ નથી....જ્યાં સુધી લેાકે આ વાત જાણે નહી તે પહેલા ચડાલાને મેલાવીને તેમને આપી દઉ’ આ પ્રમાણે વિચારીને રાજાએ મંત્રીને લાવીને કહ્યુ: ‘ પેલા ચંડાલાને મેલાવી લાવા.' મંત્રી નગરની બહાર રહેલા ચડાલેાને ખેાલાવી લાવ્યેા. રાજાએ કહ્યું:- · લેા, મારા વચન
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy