SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે સ્પંદન શરૂ કર્યું ત્યારે સૌને શાંતિ મળી. ભગવાને પોતાના પર માતા -પિતાનો આટલો બધો સ્નેહ જોઈને એવી પ્રતિજ્ઞા કરી લીધી કે માતાપિતાના સ્વર્ગવાસ પછી જ હું દીક્ષા લઈશ, તે પહેલાં નહિ. મહાવીરનો જન્મ ગર્ભકાળ સમાપ્ત થતાં ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રે મહાવીરનો ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં જન્મ થયો. છપ્પનદિકુમારી આવી અને તેમણે સમગ્ર પ્રસુતિ કર્મ પાર પાડ્યું. જન્મોત્સવ ઉજવવા માટે સૌ પ્રથમ સૌધર્મ દેવલોકના ઈદ્ર પધાર્યા. તેમણે નવજાત શિશુને હાથમાં લીધું. તેમના જ પ્રતિરૂપને માતા પાસે મૂક્યું. પાંચરૂપ ધારણ કરીને ઈદ્ર બાળકને મેરૂ પર્વતના પુંડરીક વનમાં લઈ ગયા. ત્યાં એક શિલાપટ્ટ ઉપર પોતાની ગોદમાં શિશુને લઈને ઈદ્ર પૂર્વાભિમુખ થઈને બેઠા. તે સમયે અન્ય ત્રેસઠ ઈદ્ર તથા દેવગણ પણ ઉપસ્થિત થયો. આભિયોગિક દેવ જળ લઈને આવ્યા. સૌ ઈદ્ર-ઈદ્રાણીઓ તથા દેવોએ જન્માભિષેક કર્યો. ઈદ્રની આશંકા આ અવસર્પિણી કાળના ચોવીશ તીર્થકરોમાં અંતિમ તીર્થંકરનું HITછે, A : ((((((((AI ( E) 96, વિ) તીર્થકરચરિત્ર ૧૯૨
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy