SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૨૦૧ અર્થ ઃ ઋ જુસૂત્રનય કેવળ વર્તમાનકાળના વિષયને ગ્રહણ કરે છે અને વ્યવહારનય ત્રણે કાળના અર્થોનું પ્રતિપાદન કરે છે, તેથી વ્યવહારનો વિષય ઋજુસૂત્રથી અધિક છે. કહેવાનો આશય એ છે કે, લોકોનો વ્યવહાર કોઈ એક કાલને લઈને નથી ચાલતો. ભૂતકાળમાં જે પદાર્થો દ્વારા સુખ-દુઃખ નો અનુભવ થઈ ચૂક્યો છે, તે પદાર્થોને વર્તમાનકાળમાં જોઈને અનુમાન થાય છે કે, આ પદાર્થો પહેલાં જે પ્રકારે સુખ-દુઃખ ઉત્પન્ન કરતાં હતાં, તે જ રીતે અત્યારે અને આગામી કાળમાં પણ સુખાદિ ઉત્પન્ન કરી શકે છે. આ સમજીને લોકો સર્વ પ્રકારનો વ્યવહાર કરે છે. જો ભૂતકાળ સાથે અર્થનો સંબંધ કોઈ પ્રકારે પણ ન માનવામાં આવે, તો કોઈ પણ વ્યવહાર નથી ચાલી શકતો. કેવલ વર્તમાનકાલમાં અર્થની સત્તા માનવામાં આવે તો ભોજનથી તૃપ્તિ થશે અને પાણી પીવાથી તરસ દૂર થશે, એટલો નિશ્ચય પણ નહીં થઈ શકે. ભૂતકાળમાં ભોજન આદિ દ્વારા તૃપ્તિનો અનુભવ કરવાને કારણે લોકો ભૂખ-તરસ લાગવાથી ભોજન વગેરે લે છે. આગામી કાળમાં આ વસ્તુઓથી સુખની પ્રાપ્તિ અને દુઃખ દૂર થઈ શકશે, એમ સમજીને વર્તમાનમાં ધન-વસ્ત્ર આદિનો સંચય કરવામાં આવે છે, આ રીતે વ્યવહારનો ત્રણ કાળના પદાર્થોની સાથે સંબંધ છે. જ્યારે જુસૂત્ર વર્તમાનકાળમાં પદાર્થનું જ સ્વરૂપ છે તેનો પ્રધાન રૂપે આશ્રય લે છે. પદાર્થના ભૂત અને ભાવી સ્વરૂપની ઉપેક્ષા કરે છે. દેશ અને કાળના ભેદથી અર્થ ક્યારેક સુખ અને ક્યારેક દુઃખના वर्तमान-विषयादृजुसूत्राद् व्यवहारस्त्रिकालविषयावलम्बित्वादनल्पार्थः ।।७-४९ ।। ऋजुसूत्रो वर्तमानक्षणस्थायिनः पदार्थान् प्रकाशयतीत्युल्पविष्य, व्यवहारस्तु कालत्रयवर्तिपदार्थजातमवलम्बत તિ બહુવિષય: ૪૬ IT (. તસ્વા.)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy