SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો વિશિષ્ટ છે એટલે કે એકબીજાથી ભિન્ન છે. આ રીતે નામાદિમાં પણ જેનો સંકેત ગૃહીત છે અર્થાત્ ‘‘તેના વાચક આ શબ્દ છે.’’ આ રીતે જે શબ્દના વાચ્ય-વાચક ભાવરૂપ સંકેતનું જ્ઞાન સંજ્ઞા-સંજ્ઞી સંબંધના કાળમાં થઈ ગયું છે, તે શબ્દના ભાવમાત્રથી બોધકતામાં પર્યવસાન જે અધ્યવસાય વિશેષથી થાય છે, તે અધ્યવસાય વિશેષ જ સામ્પ્રત નય કહેવાય છે. ટૂંકમાં, પૂર્વોક્ત લક્ષણથી એ ભાવ પ્રગટ થાય છે કે, વર્તમાન નામાદિમાં શબ્દના સંકેતનું જ્ઞાન ભલે હોય, તો પણ સામ્પ્રતનયની દૃષ્ટિએ તે શબ્દ કેવળ વર્તમાન ભાવનો જ બોધક થાય છે. પરંતુ વર્તમાન નામ, વર્તમાન સ્થાપના અને વર્તમાન દ્રવ્યનો બોધક નથી થતો. કારણ કે, નામાદિમાં જે સંકેતગ્રહ પૂર્વે (પહેલાં) થયો છે, તેમાં અપ્રામાણ્યબુદ્ધિનો જનક સામ્પ્રતનય હોય છે. ૧૭૪ તેથી એ વાત પણ ફલિત થાય છે કે, શબ્દનય કેવળ ભાવનિક્ષેપાનો જ સ્વીકાર કરે છે(72) જેમ કે, શબ્દનય ‘‘જિન’’ શબ્દથી જેમણે રાગદ્વેષને જીત્યાં છે, ભૂમિ પર વિચરણ કરી રહ્યા છે, એવા સર્વજ્ઞ સર્વદર્શી ભાવ જિનને સમજાવે છે. પરંતુ (જે ભવિષ્યમાં જિન થવાવાળા છે, તેને દ્રવ્યજિન કહેવાય છે. પ્રતિમા અથવા ચિત્રપટમાં જે જિનની સ્થાપના કરી છે, તેને સ્થાપના જિન કહેવાય છે. અને કોઈ વસ્તુને ‘‘જિન’’ એવું નામ આપ્યું હોય તેને 72. જે શબ્દની જે અર્થને બતાવવાની શક્તિ હોય તે અર્થને તે શબ્દ બોધિત કરે છે બતાવે છે. આ શબ્દનયનું સ્વરુપ છે. શબ્દના અર્થનો શક્તિગ્રહ આઠ પ્રકારથી થાય છે. ન્યાયસિદ્ધાંત મુક્તાવલીમાં શક્તિગ્રહના આઠ પ્રકાર બતાવતાં કહ્યું છે કે, શક્તિપ્રદં व्याकरणोपमानकोशाप्तवाक्याद्व्यवहारतश्च । वाक्यस्य शेषाद् विवृत्तेर्वदन्ति सान्निध्यतः સિદ્ઘપવસ્થ વૃત્તાઃ ।। શબ્દના અર્થનો શક્તિગ્રહ (૧) વ્યારળ, (૨) ૩૫માન, (૩) જોશ, (૪) આપ્તવાય, (૫) વ્યવહાર, (૬) વાયશેષ, (૬) નિવૃત્તિ (ટીજા) ઞૌર (૮) પ્રસિદ્ધપક્ષત્રિયાન : આ આઠ પ્રકારથી થાય છે. -
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy