SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૧૫૫ નામના પર્યાયમાત્રને પ્રધાનતાએ પ્રકાશિત કર્યો છે. પરંતુ તે પર્યાયના અધિકરણ આત્મદ્રવ્યની વિવક્ષા ગૌણ હોવાને કારણે કરી નથી. યદ્યપિ સુખ-દુઃખાદિ પર્યાય આત્મદ્રવ્યને છોડીને ક્યારેય નથી હોતાં. છતાં પણ જ્યારે પર્યાયની પ્રધાનતાએ વિવક્ષા કરવામાં આવે છે અને દ્રવ્યની ગૌણરૂપમાં વિવક્ષા કરવામાં આવે છે, ત્યારે હવે (આ કાળમાં) સુખવિવર્ત-સુખપર્યાય છે.” એવો પ્રયોગ થાય છે. (અહીં જેમ સુખપર્યાયની વિવક્ષા કરી, તેમ દુ:ખપર્યાયની વિવક્ષા પણ સ્વયં વિચારી લેવી) ટૂંકમાં, ઋજુસૂત્રનય અતીત-અનાગતકાલીન અને પરકીય વસ્તુની ઉપેક્ષા કરીને વર્તમાનકાલીન અને સ્વકીય પર્યાયની પ્રધાનતાએ વિવક્ષા કરવાવાળો અધ્યવસાય વિશેષ છે. - ઋજુસૂત્રનયની માન્યતા : (આ નયના વિષયમાં વિશેષ વાતો તેની માન્યતાને બતાવતાં ભિન્નભિન્ન ગ્રંથમાં જે ખુલાસાઓ કર્યા છે, તેનાથી સ્પષ્ટ થશે, હવે તે જ જોઈશું) સમર્થ શાસ્ત્રકાર શિરોમણી પૂ.આ.ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી અનુયોગધારસૂત્રની વિવૃત્તિમાં ઋજુસૂત્રનયની 7) માન્યતા જણાવતાં કહે છે કે, આ જુસૂત્રનય વર્તમાન (વર્તમાન-ક્ષણસ્થાયી) સ્વલિંગવચન-નામાદિથી ભિન્ન પણ વસ્તુને “એક વસ્તુ” ના રૂપમાં સ્વીકારે છે. ઋજુસૂત્રના મત પ્રમાણે અતીતકાલ અને અનાગતકાલ ભાવ (વસ્તુરૂપ) નથી. કારણ કે, અતીતકાલ નષ્ટ થઈ ગયો છે. એટલે તે અત્યારે વિદ્યમાન નથી અને ભવિષ્યકાલ ઉત્પન્ન નથી થયો, તેથી તે પણ આ સમયે વિદ્યમાન 57. મર્થ દિન: વર્તમાન સ્વતિ - વચન - નામાંવિત્રિમથે વસ્તુ પ્રતિપદ્યતે, શેષાવત્વિતિ तथाहि - अतीतमेष्यं (ष्यद् ?) वा न भावः, विनष्टऽनुत्पन्नत्वाददृश्यत्वत्वात्, खपुष्पवत्, तथा परकीयमप्यवस्तु, निष्फलत्वात्, खपुष्पवत्, तस्मात् वर्तमानं स्वं वस्तु। तच्च न लिङ्गादिभिन्नमपि स्वरूपमुज्झति - लिङ्गभित्रं तटस्तटी तटमिति वचनभिन्नमापो जलम्, नामादिभिनं नाम - स्थापना - દ્રવ્ય - માવા તાા (અનુયા ટાર-વિવૃત્તિ)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy