SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ અરિહંત ચેઈયાણં સૂત્ર ઉત્તર-ઉત્તરના ભાવોનું પ્રતિસંધાન થાય તે પ્રકારે અધિકૃત વસ્તુની અવિસ્મૃતિ ધારણા છે, અને આ ધારણા, અહીં=સ અનુષ્ઠાનમાં, જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી અવિસ્મૃતિ આદિ ભેદવાળી પ્રસ્તુત વસ્તુની આનુપૂર્વીના વિષયવાળી ચિત્તની પરિણતિ છે=જે સૂત્રો પોતે બોલે છે તે સૂત્રરૂપ વસ્તુના આનુપૂર્વીપૂર્વક ભાવોના વિષયવાળી ચિતની પરિણતિ છે; કેમ કે જાત્યમુક્તાક્ષની માળાને ગૂંથનારાના દષ્ટાંતથી તેનું ધારણાકાલીન ચિતનું, તે તે પ્રકારે ઉપયોગનું દઢપણું છે, અવિક્ષિપ્ત છતાને યથાયોગ્ય વિધિપૂર્વક આને પરોવવાથી ગુણવાળી અધિકૃત માળા થાય છે, એ રીતે=જે રીતે તે માળા ગુણવાળી થાય છે એ રીતે, આના બળથી=ધારણાના બળથી, સ્થાનાદિ ચોગપ્રવૃત યોગીની યથોક્ત નીતિથી જ=જે રીતે અવિક્ષિપ્ત છતાને યથાયોગ્ય વિધિપૂર્વક પરોવવાથી માળા ગુણવાળી થાય છે એ નીતિથી જ, યોગગુણમાળા નિષ્પન્ન થાય છે; કેમ કે પુષ્ટિનું કારણપણું છે. પંજિકા - 'अविच्युत्यादिभेदवतीति'=अविच्युतिस्मृतिवासनाभेदवती। પંજિકાર્ય : ગવિદ્યુતિ ... વાસનામેવતી || વિદ્યુત્યવિમેલવી લલિતવિસ્તરાનું પ્રતીક છે, અવિચ્યતિ, સ્કૃતિ અને વાસનાના ભેદવાળી પ્રસ્તુત વસ્તુની આનુપૂર્વીના વિષયવાળી ચિતની પરિણતિ છે એમ થોજન છે. ભાવાર્થ : વિવેકી સાધુ અને શ્રાવક વધતી જતી ધારણાથી કાઉસ્સગ્ન કરવાનો અભિલાષ કરે છે, પરંતુ ચિત્તશૂન્યપણાથી કાયોત્સર્ગ ન થાય તે રીતે યત્ન કરે છે. ધારણા શું છે ? તે સ્પષ્ટ કરે છે – અધિકૃત વસ્તુની અવિસ્મૃતિ ધારણા છે, જેમ પ્રસ્તુત સૂત્ર દ્વારા અભિલાષ કરાય છે કે ભગવાનનાં વિંદન-પૂજન-સત્કાર-સન્માનથી જે ફળ મળે તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી થાવ અને તે પણ બોધિલાભ અને મોક્ષ માટે પોતાને જોઈએ છે અને તેનું ફળ વધતી જતી શ્રદ્ધા આદિથી થાય છે તે અધિકૃત સૂત્રને બોલવાના ઉત્તર-ઉત્તરના કાળમાં પૂર્વ-પૂર્વના બોલાયેલાનું અવિસ્મરણ રહે તે રીતે પ્રતિસંધાનપૂર્વક કાયોત્સર્ગ કરવા માટે જે યત્ન છે તે ધારણા છે અને આ ધારણા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થયેલી ચિત્તની પરિણતિ સ્વરૂપ છે. વળી, તે અવિસ્મૃતિ, સ્મૃતિ અને વાસનાના ભેદવાળી છે=પૂર્વ-પૂર્વનાં બોલાયેલાં પદોની આત્મામાં વાસના પડે છે અને તે વાસનાનું પ્રતિસંધાન કરીને ઇતરની સાથે=ઉત્તરમાં બોલાતાં પદોની સાથે, યોજન થાય તે રીતે સ્મૃતિ વર્તે છે, તેથી પૂર્ણ સૂત્રનું એકવાક્યતાથી પ્રતિસંધાન થાય તેવો અવિશ્રુતિરૂપ મતિજ્ઞાનનો ઉપયોગ વર્તે છે, તેથી પ્રસ્તુત જે સૂત્ર બોલાય છે તે સૂત્રરૂપ વસ્તુનો જે આનુપૂર્વીરૂપ ક્રમ છે તેને સ્પર્શનારી મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્તની પરિણતિ છે. જેમ જાત્યમુક્તાફલની માળા કોઈ પરોવતું હોય ત્યારે તે
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy