SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ નથી (કારણ કે તે ચિરાતીત છે) અને અનુમાનરૂપ પ્રમાણુથી પણ સંજ્ઞનું સાધન કરવું તે અશક્ય છે કારણ કે વદ્વિવ્યાખ્યધૂમરૂપ હેતુથી જે રીતે વહ્નિરૂપી સાધ્યની સિદ્ધિ થાય છે તે રીતે સર્વજ્ઞની સિદ્ધિ કરનાર સર્વજ્ઞ–અવિનાભાવી એટલે વ્યાસ કોઈ હેતુ નથી. અને હેતુ વગર કોઈપણ સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. (૧૨) વળી કલપસૂત્ર-ભગવતીજી વગેરે સર્વજ્ઞપ્રણીત આગમ ગ્રન્થથી–શબ્દ પ્રમાણથી પણ સર્વજ્ઞને સાધી શકાય તેમ નથી. કારણ કે આગમ ગ્રન્થ એ કેવળ ક્રિયાકાંડાદિ વિધિમાર્ગને ઉપદેશ આપનાર છે. વળી સર્વજ્ઞ અપ્રત્યક્ષ હોવાથી સાદશ્ય જ્ઞાન સ્વરૂપ ઉપમાન પ્રમાણથી પણ સર્વજ્ઞ સિદ્ધ થતા નથી. પ્રત્યક્ષ થયેલ વસ્તુ જ ઉપમાન દ્વારા ગ્રહણ કરી શકાય છે અને સર્વજ્ઞપદાર્થ પ્રત્યક્ષ જ્ઞાનને વિષય નથી. (૧૩) અપત્તિરૂપ પ્રમાણથી પણ સર્વજ્ઞની સિદ્ધિ કરવી અશક્ય છે. કારણ કે સર્વજ્ઞના સ્વીકાર સિવાય પણ સર્વવસ્તુનો વ્યવહાર સિદ્ધ થઈ જાય છે. જેના વિના જે વસ્તુ સિદ્ધ થઈ શકે તેમ ન હોય તેના દ્વારા તે વસ્તુને આક્ષેપ કરવો તે અર્થોપત્તિ કહેવાય છે. જેમ કેઈ કહે કે-“વીનોદચં દેવદત્તો, હવા મુજે” (પરિપુષ્ટ આ દેવદત્ત દિવસે ખાતે નથી). અહીં દેવદત્તમાં પીનત્વ–સ્થૂલત્વરૂપ ગુણ દેખાય છે તે ભેજન વિના સંભવી શકતો નથી અને દિવસે ભેજનને બાધ છે તેથી રાત્રિભેજનને આક્ષેપ થાય છે અને રાત્રી આવરદં મુદ્દે (સતે અવશ્ય ખાય છે) એ સિદ્ધ થાય છે. ઉપર જણાવેલ દૃષ્ટાન્તની જેમ અહીં કેઈ એવી વસ્તુ નથી કે જે સર્વજ્ઞને ન સ્વીકારવાથી અસિદ્ધ થાય. માટે અર્થપત્તિ પ્રમાણ દ્વારા પણ સર્વજ્ઞને સિદ્ધ કરવા મુશ્કેલ છે. આ રીતે
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy