SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૨/૩)] સાધકનું અંગત કર્તવ્ય છે. દ્રવ્યદષ્ટિને કેળવવામાં પર્યાયદષ્ટિ બાધક બને છે. વિશેષ ઉપયોગ પર્યાયના દર્શન કરાવવા દ્વારા રાગ-દ્વેષાદિના વિકલ્પો ઊભા કરે છે. માટે અધ્યાત્મનિષ્ઠ સાધકે ડગલે ને પગલે વિશેષ ઉપયોગનો આધાર લેવાના બદલે સામાન્ય ઉપયોગનો આશ્રય લેવા માટે કટિબદ્ધ બનવું. વિશેષ ઉપયોગ અનિવાર્યપણે આવી જ જતો હોય તો તેના નુકસાનથી બચવાના બે ઉપાય છે. (૧) વિશેષ ઉપયોગ ઉપર બહુ મદાર ન બાંધવો. વિશેષ ઉપયોગ ઉપર મુસ્તાક ન બનવું. (૨) વિશેષ ઉપયોગનો " વિષય મનુષ્ય-બાલ-શત્રુ-મિત્રાદિ પર્યાયને બનાવવાના બદલે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણોને તેનો વિષય બનાવવાની ભાવના રાખવી. તે મુજબ પ્રયત્ન કરવો. ગુણદૃષ્ટિનો આશ્રય સપ્રયોજન છે જેમ રાગદશામાંથી સીધે સીધા વીતરાગદશામાં પહોંચી શકાતું ન હોય ત્યારે વૈરાગ્યદશાનો આશ્રય લેવામાં આવે છે તેમ પર્યાયદષ્ટિમાંથી સીધે સીધા દ્રવ્યદૃષ્ટિમાં પહોંચી શકાતું ન હોય ત્યારે ગુણદષ્ટિનો આશ્રય લેવો ઉચિત છે. આ લક્ષ રાખી આઘાત-પ્રત્યાઘાતને ઊભી કરનારી પર્યાયદષ્ટિને તિલાંજલિ આપી ગુણદષ્ટિના માધ્યમે દ્રવ્યદૃષ્ટિને આત્મસાત્ કરવા આત્માર્થી સાધકે સતત સર્વત્ર પ્રયત્નશીલ રહેવું યો અત્યંત જરૂરી છે. તેનાથી જ સ્વરૂપદર્શનની ઉપલબ્ધિ થવાથી આત્માર્થી સાધક કૃતાર્થ થાય છે. આ બાબતમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પરમજ્યોતિ પંચવિંશતિકામાં જે વાત જણાવેલ છે, છે? તે અતઃકરણમાં દૃઢ કરવા જેવી છે. ત્યાં જણાવેલ છે કે “આત્મસ્વરૂપદર્શન જ પ્રશંસનીય છે. પરરૂપદર્શન ફોગટ છે. આટલું જ વિજ્ઞાન પરમજ્યોતિનું પ્રકાશક છે.” તેના બળથી સિદ્ધિગતિને આત્માર્થી ઝડપથી મેળવે છે. દશવૈકાલિકસૂત્રવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પુનર્જન્માદિથી શૂન્ય સ્વરૂપે સિદ્ધિગતિ વર્ણવેલી છે. (૨૩)
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy